SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પૂછવામાં આવ્યું, તો મેં બતાવ્યું કે એવાં સ્ત્રી-પુરુષોને આવા પ્રકારનો અંધાપો આવે છે અથવા બહેરાપણું આવે છે કે જેઓ કોઈ વ્યક્તિ, વસ્તુ યા પરિસ્થિતિનો સામનો કરવા ઈચ્છતાં નથી.” - ઊંડાણથી તપાસ કરતાં ખબર પડી કે ઉક્ત વ્યક્તિને સવારે સૂઈને ઊઠ્યા પછી પ્રાયઃ ૫-૧૦ મિનિટ સુધી સ્પષ્ટ દેખાતું હતું, પરંતુ પાછળથી આંખોની સામે અંધારું છવાતું હતું અને નહીંવત્ દેખાતું હતું. જ્યારે એને માનસિક અને ભાવનાત્મક પરેશાનીઓ અંગે પૂછવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તમે વસ્તુતઃ અંધ નથી, પણ તમારું અચેતન મન વિશેષ પરિસ્થિતિઓમાં અંધ બની રહેવાનું પસંદ કરે છે. જો આ વાતોનો ખુલાસો થઈ જાય તો તમે માત્ર જોઈ જ ન શકો પણ તમારી ચેતના ય પાછી આવી જશે. એ સિવાય આ દ્રષ્ટિ પાછી નહીં પ્રાપ્ત થાય. જ્યાં સુધી મસ્તકમાં પ્રવેશેલી પેલી નકારાત્મક ક્ષુબ્ધતાને ધોઈ નહીં નાખો. ત્યાં સુધી તો નહીં જ.’ ખૂબ કહ્યા પછી આ માણસે પોતાની માતાના નિરંકુશ શાસનની હૃદયવિદારક ઘટના સંભળાવી કે કેવી રીતે એના ક્રિયાકલાપોએ એના હસતા, ખેલતા, ખાતા પિતા અને ખુશખુશાલ પરિવારને માત્ર બરબાદ ન કર્યો, પરંતુ બધાં બાળકોના મનમાં ઝેર ઘોળીને એમના કોમળ માનસમાં કાળાં ધબ્બાં મૂકી દીધાં. એ બાળકો જાણતાં ન હતાં કે માના આ ક્રૂરતાપૂર્ણ વ્યવહાર માટે કોને જવાબદાર ઠેરવવો અને એનો ઉત્તર કેવી રીતે આપવો? એ તો એટલું ઈચ્છતાં હતાં કે ન તો માને જુએ અને ન તો એના શબ્દો સાંભળે. એટલા માટે તેઓ અંધાપાનો શિકાર બની ગયાં. જ્યારે એમને ફરીથી માતૃવત્ સ્નેહ અને મમત્વનું આશ્વાસન આપવામાં આવ્યું અને તેઓ ફરીથી પૂર્ણરૂપે આશ્વસ્ત થઈ ગયા, તો એમની દ્રષ્ટિ ધીમે ધીમે પાછી મળી ગઈ. આ ગાળામાં જ્યારે પણ એમના મનમાં જૂનો દ્વેષ ઊભરાઈ આવતો ત્યારે એની સીધી અસર આંખો ઉપર પડતી હતી. પાછળથી એ પ્રભાવ સમાપ્ત થઈ ગયો અને તેઓ પૂર્ણતઃ સ્વસ્થ થઈ ગયાં. મનને વિકારોથી બચાવોઃ આપણી સ્વાથ્ય સમસ્યાનું નિદાન સ્વયં આપણી જ પાસે છે અને એમાં આપણે સમર્થપણ છીએ. યાદ રાખવા જેવું તથ્ય એ છે કે એક પરમ ચેતના આપણા મન અને મસ્તિષ્ક અંતઃકરણના માધ્યમથી કાર્ય કરી રહી છે. જે માનસિક અને ભાવનાત્મક ક્ષેત્રની પવિત્રતા પ્રત્યે વિશેષ જાગૃત રહેવામાં આવે અને એને ભય, ક્રોધ, આવેશ, ઈષ્ય, દ્વેષ જેવા વિકારોથી બચાવવામાં આવે તો એવું કોઈ કારણ નથી કે રોગના શિકાર બનવું પડે અને અસમયે કાળનો કોળિયો બનવું પડે! [ કરુણા ભાવના ]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy