SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મથી મનને સુખ–શાન્તિઃ ગ્રંથકાર કહે છેઃ 'તપદિ સુનિ દેવ વિખ્ત, માત્માનામમાં રે ! આપણું એ જ મન જો અધ્યાત્મના ઉપવનમાં નિશંક થઈને ક્રીડા કરવા લાગે તો અનાયાસ સુખોનાં પુષ્પો ખીલવા લાગે.” મનને વિષયોથી વિમુખ કરીને આત્મસન્મુખ કરવું જોઈએ. અધ્યાત્મસન્મુખ રહેલું મન અપૂર્વ સુખ-શાન્તિ પ્રદાન કરે છે.. જ્યારે મન ગૂંચવણોમાં હોય, દિશાશૂન્ય થઈ ગયું હોય, અકથ્ય નિરાશાના ઘેરાવામાં હોય, સ્નેહીજનના મૃત્યુથી, અકાળ મૃત્યુથી મન વિષાદગ્રસ્ત બની ગયું હોય ત્યારે તમે શું કરો છો? હું તો કોઈને કોઈ ગ્રંથનો સહારો લઉં છું. આવું એક પુસ્તક છેઃ “વોટ રીયલી ઈઝ વર્ણવાઈલ' જીવનમાં મૂલ્યવાન શું છે? - આ એક નાનકડી પુસ્તિકા છે. ૧૮૮૩માં એ છપાઈ હતી. આ પુસ્તિકા લખી હતી એના રોબર્ટસન બ્રાઉન' નામની લેખિકાએ. અનેક ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. ૭ વર્ષ સુધી આ પુસ્તિકા છપાતી રહી! અને ૭૩ આવૃત્તિઓ પ્રકાશિત થઈ! લેખિકાએ અંગ્રેજી વિષયમાં અમેરિકાની પેન્સિલ્વેનિયા વિદ્યાપીઠમાંથી Ph. D. પ્રાપ્ત કરી હતી. એમણે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડમાં અધ્યયન કર્યું હતું. આ પુસ્તકનો સંક્ષેપ “વેલી ન્યૂઝ (Pally News)માં નવેમ્બર, ૧૯૯૪માં પ્રકાશિત થયો હતો. સંક્ષેપકાર છે - નાડ રીડર કેમ્પિયન (Nardi Reeder Campion). આ એક જિંદગી જીવવાની છે. એનો જેટલો બની શકે એટલો સદુપયોગ કરી લેવાનો છે. સંભવ છે કે આપણા સમગ્ર જીવન પર આપણો કાબૂ-નિયંત્રણ ન પણ હોઈ શકે, પરંતુ જીવનોપયોગી અને મહત્ત્વનું શું છે? કોઈ પણ નુકસાન વગર આપણે શું છોડી શકીએ છીએ તે વિચારવાનું છે - જે આપણે આપણી સાથે શાશ્વત જીવનમાં નથી લઈ જઈ શકતા તે બધું છોડી શકીએ છીએ. આપણે આપણા જીવનને ભારથી લાદવું ન જોઈએ. એટલા માટે ચાર વાતો કરવા જેવી છે: ૧. દભ અને દેખાવ કરવો છોડી દો દંભ છોડી દો. બનાવટ કરવાનું તેમજ જૂઠાં મહોરાં પહેરીને જીવવાનું છોડી દો. એનાથી મન ભાર વગરનું બનશે. ૨. ચિંતાઓ છોડી દો ચિંતા કરવી એ અનાધ્યાત્મિક છે. એમાં દ્રષ્ટિ સંકુચિત થાય છે. ચિંતાનો અર્થ છે - નાની-નિરર્થક વાતોને મહત્ત્વ આપવું. શું આપણી ચિંતા. બહુધા કાલ્પનિક નથી હોતી? દુખ આવતા પહેલાં કદાચ આવું થશે તો?” આવા વિચારો કરીને આપણે નિરર્થક દુખી થઈએ છીએ. નાનીશી હરકતને ૨૪૮ | શાન્તસુધારસઃ ભાગ ૩|
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy