________________
ગયું ? લૂંટી ગયું ?’
હરિબળે જવાબમાં માત્ર હુંકાર જ કર્યો. રાજકુમારી સમજી કે “એનું બધું લૂંટાઈ ગયું લાગે છે, માટે તે ખિન્ન થઈને માત્ર હુંકાર કરે છે.’ તેણે પોતાના થેલામાંથી સુંદર વસ્ત્ર અને અલંકાર કાઢીને આપ્યા અને કહ્યું : ‘હે પ્રિય ! મારી પાસે વિપુલ ધન છે, માટે તમે ચિંતા ના કરશો. આપણી ઇચ્છા પૂર્ણ થશે.' પછી તો કુમારી હિરબળ સાથે પ્રેમરસભરી વાતો કરે છે, પણ હરિબળ માત્ર હુંકારથી જ જવાબ આપે છે... તેથી રાજકુમારીને શંકા પડી. એ વિચારે છે ઃ ‘શું આ અહંકારી હશે ? મારાથી દૂર ચાલીને હુંકારો આપે છે... મારી સામે ય જોતો નથી... મારા ઉપર રીસાયો હશે ? વળી, આની ચાલવાની રીત પણ ઉદ્ધત લાગે છે... શું આ હિરબળના બદલે બીજો કોઈ પુરુષ તો નથી ?”
રાજકુમારીનો કલ્પાંત
આ પ્રમાણે વિચારતી હતી, ત્યાં અચાનક ચન્દ્રનું અજવાળુ થયું. અજવાળામાં કુમારીએ નજીક જઈને હરિબળને જોયો... ને એની આંખો પહોળી થઈ ગઈ. વ્યથિત થઈ ગઈ. તે રુદન ક૨વા લાગી.
હું બે બાજુથી ભ્રષ્ટ થઈ. રાજલક્ષ્મી ખોઈ, માતા-પિતાને છોડ્યાં અને મળ્યો બીજો જ નંગ-ધડંગ પુરુષ... મારી સ્વચ્છન્નતાનું જ આ ફળ મને મળ્યું છે. ‘હવે મારે જીવીને શું કરવું છે ?’ તે જમીન પર આળોટી પડી. બેભાન થઈ ગઈ. ઠંડા પવનથી એની મૂર્છા દૂર થઈ. તે જમીન પર આળોટવા લાગી.
રિબળ ગમગીન બની ગયો. એ વિચારે છે ઃ ‘આ કન્યા સાથે ગૃહવાસ માંડવો શક્ય નથી લાગતો. આ તો મને જોઈને જ જાણે ડઘાઈ ગઈ ! જાણે હું રાક્ષસ ન હોઉં ! હવે મારે શું કરવું ? હા, જો દેવ આ સમયે મને સહાય કરે તો કામ થઈ જાય !'
એ જ સમયે રાજકુમારી વિચારે છે ઃ ‘હવે મારે શા માટે શોક કરવો જોઈએ ? મારા ભાગ્યે મને જે ભર્તાર આપ્યો, તેનો જ સ્વીકાર કરી લઉં ! કદાચ ભવિષ્યમાં એ ભાગ્યશાળી બને પણ ખરો.’
દેવવાણી થાય છે ઃ
એ જ વખતે આકાશમાં દેવવાણી થઈ : ‘હે રાજકુમારી, જો તું સમૃદ્ધિને ઇચ્છતી હોય તો તું આ હિરબળને જ વરજે. તારો અને એનો મહાત્ ભાગ્યોદય થશે. માટે તું એને પતિરૂપે સ્વીકારી લે.' દેવવાણી સાંભળીને રાજકુમારી આનંદિત થઈ ગઈ. તેણે ખૂબ પ્રેમથી, મધુર વાણીથી હિરબળને બોલાવીને કહ્યું : ‘હે પ્રિયે, મને ખૂબ તરસ લાગી છે. મને પાણી લાવી આપ.’
હિરબળ તરત જ અંધકારમાં ઓગળી જાય છે. અલ્પ સમયમાં પાણી લાવીને કરુણા ભાવના
૨૩૭