________________
શ્રેષ્ઠીપુત્ર સાથે ત્યાની રાજકુમારી પ્રેમમાં પડી. કાળી ચૌદસના દિવસે રાત્રે નગરની બહાર દેવીના મંદિરમાં મળવાનું નક્કી કર્યું. એ આ જ દિવસે હતો કે જ્યારે પેલો હરિબળ માછીમાર દેવીના મંદિરમાં જઈને સૂતો હતો.
શ્રેષ્ઠીપુત્ર હરિબળ વિચારે છે - “રાજકુમારી તો કામપરવશ બની છે, ઘેલી થઈ છે, પણ હું એવો ઘેલો નથી. વળી સ્ત્રી જાત છે, કંઈક કપટ કરે તો? ભવિષ્યમાં એની સાથે હું સુખી જ થઈશ એની ખાતરી શું? વળી, આ તો રાજકુમારી છે. હું રાજાનો અપરાધી થાઉં. રાજા જાણે તો મને પકડીને શૂળી પર ચઢાવે. માતા-પિતાનો.વિયોગ. થાય, એ મને કેમ પોસાય? મારે કોઈ વિશેષ પરિચય રાજકુમારી સાથે નથી. માત્ર આંખો મળી અને એણે મને પત્ર લખ્યો, એટલું જ! ના, મારે જવું નથી.'
વણિકપુત્ર હતો ને! એટલે સ્વાભાવિક રીતે બીકણ હોય! એક સુભાષિતમાં કહેવાયું છેઃ “સ્ત્રીમાં કપટભાવ ઘણો હોય, વણિકમાં ભય ઘણો હોય, ક્ષત્રિયમાં રોષ ઘણો હોય અને બ્રાહ્મણમાં લોભ ઘણો હોય.'
પેલી રાજકુમારી સાહસિક હતી. નિશ્ચિત કરેલા દિવસે, તે રત્નો, આભૂષણો, વસ્ત્રો વગેરેનો થેલો ભરી કાલિકાદેવીના મંદિરે પહોંચી ગઈ. રાત્રિનો પહેલો પહોર પૂરો થયો હતો. મંદિરમાં આવીને તેણે ધીરેથી હરિબળ... ઓ હરિબળ તું ક્યાં છે? હું આવી ગઈ છું.' હરિબળને પત્ની મળે છે?
માછીમાર હરિબળ જાગી ગયો હતો. તેણે મંદિરના દરવાજા પર દેવીના જેવી દિવ્ય વસ્ત્ર-અલંકારથી સુશોભિત રાજકુમારીને જઈ. એનાં હરિબળ. ઓ હરિબળ એવાં મધુર વચન પણ સાંભળ્યાં. તે રાજી થયો. વિસ્મય પામ્યો. તેણે માત્ર હું હું કરીને જવાબ આપ્યો. હુંકાર સાંભળીને રાજકુમારી બોલી - સ્વામિનાથ ! ઝટ તૈયાર થઈ જાઓ. અત્યારે જ દેશાંતર જવા નીકળવાનું છે.”
મંદિરમાં ઘોર અંધારું હતું. એકબીજાની માત્ર આકૃતિ જ દેખાતી હતી. હરિબળ વિચારે છે: “મારા નામનો બીજો કોઈ હરિબળ હશે. તેની સાથે આ કન્યાએ સંકેત કર્યો હશે. પણ વિના મહેનતે મને સ્ત્રી મળે છે, પ્રેમથી બોલાવે છે, તો શા માટે તેની સાથે ન જાઉં?” એમ વિચારીને તે મંદિરની બહાર નીકળ્યો. રાજકુમારી એની પાછળ ચાલી.
હરિબળ વિચારે છે - “આ બધું સુખ, એક જીવની દયા કરવાથી મને મળ્યું છે. હવે મારે માછીમારનો ધંધો કરવો નથી.” તેણે માછલાં પકડવાની જાળ ફેંકી દીધી. થોડું ઝખું અજવાળું થયું એટલે કુમારીએ હરિબળને માત્ર લંગોટીભેર જોયો. તેણે પૂછ્યું: ‘તમે આમ કેમ છો ? તમારી પાસેથી વસ્ત્ર, અલંકાર, વાહન કોઈ લઈ
િ૨૩૬
શાન્ત સુધારસઃ ભાગ ૩]