________________
એક મત્સ્ય આવતો રહ્યો અને હરિબળ એને છોડતો રહ્યો. એને એક પણ માછલી મળી નહીં. છતાં એના મનમાં નિયમ લીધાનો કોઈ પશ્ચાત્તાપ થયો નહીં. નિયમનું દ્રઢતાથી પાલન કર્યું. છેલ્લે છેલ્લે જ્યારે હરિબળે પોતાની જાળમાં આવેલા એ મત્સ્યને પાણીમાં તરતો મૂક્યો ત્યારે એ મત્સ્ય મનુષ્ય-વાણીમાં બોલ્યોઃ દેવ પ્રસનઃ
હે સાહસિક ! હે સત્ત્વશીલ ! તારા સત્ત્વથી હું તારા પર પ્રસન્ન થયો છું, તુષ્ટમાન થયો છું. માટે વચન માગ. તું જે માગીશ તે હું આપીશ.”
હરિબળે કહ્યું તું તો મત્સ્ય છે ! તું મને શું આપીશ?” મન્ચે કહ્યું: હરિબળ, તું મને મત્સ્ય ન માનીશ. હું તો લવણસમુદ્રનો અધિષ્ઠાયક દેવ છું. તારા નિયમપાલનની વૃઢતાની મેં પરીક્ષા કરી. નિયમ લઈને દૃઢતાથી તેં નિયમનું પાલન કર્યું છે, તેથી હું તારા પર પ્રસન્ન થયો છું. એટલે તું જે વરદાન માગીશ, તે હું આપીશ.'
મત્સ્યની વાણી સાંભળી હરિબળ હર્ષિત થઈ ગયો. તેણે કહ્યું: હે દેવ, જ્યારે મને કોઈ દુઃખ આવે, આપત્તિ આવે ત્યારે તત્કાલ મને તમે છોડાવજો. હું આટલું વચન માગું છું.' દેવે વરદાન આપ્યું અને તે અદ્રશ્ય થઈ ગયો. સૂર્ય અસ્ત થઈ ગયો હતો.
હરિબળ વિચારે છેઃ “આજે એક પણ માછલી પકડાણી નથી. આજે જો હું ઘેર જઈશ તો મારી પત્ની મારી સાથે ઝઘડો કરશે જ. માટે આજે હું અહીં દેવીના મંદિરમાં રાત રોકાઈ જાઉં.'
દેવીની મૂર્તિને પ્રણામ કરી તે મંદિરના ઓટલે બેઠો. એણે વિચાર્યું: હું તો માછીમાર છું, છતાં મને મારા લીધેલા નિયમનું ફળ મળ્યું! આજે જ મળ્યું. માત્ર એક જ જીવને અભયદાન આપ્યું તો દવે મારા પર પ્રસન્ન થઈ વરદાન આપ્યું. હવે જો હું સર્વ જીવોની દયા પાળું તો મને કેટલું બધું ફળ મળે? ખરેખર, તે લોકો ધન્યાતિધન્ય છે કે જેઓ સર્વે જીવોની દયા પાળતા હશે. મને ધિકકાર છે કે હું હંમેશાં જીવોને મારું છું. જો કોઈ પણ રીતે મારી આજીવિકાનો નિહિ થઈ જાય તો હું આ ઘોર હિંસાનો ત્યાગ કરી દઉં. મને મહાત્માએ સમજાવ્યું કે હિંસા તો વિષલતા. છે, સુકૃતનો નાશ કરનારી છે.'
આ રીતે સરળ પ્રકૃતિવાળો હરિબળ વિચાર કરતો-કરતો મંદિરમાં ઊંઘી ગયો. બીજી બાજુ નગરમાં એક બીજી રોમાંચક ઘટના બની. હરિબળ નામના એક
કરુણા ભાવના
.
૨૩૫]