________________
હરિબળે કહ્યું : “મહાત્મા, હું તો સ્વકુળાચારને ધર્મ માનું છું અને એ ધર્મને એકાગ્રચિત્તે આરાખું છું.'
મુનિરાજે કહ્યું ઃ ‘હે ભદ્ર ! એવો કુળાચાર ધર્મ ન કહેવાય કે જેમાં હિંસા થતી હોય, દુરાચાર સેવાતો હોય અને બીજાં નિંદિત કાર્યો થતાં હોય. હીન કક્ષાનો કુળાચાર પાળવાનો ન હોય, તે તો છોડવાનો હોય. સાચો ધર્મ તો જીવદયાનો છે ! જીવદયાનો ધર્મ કલ્પવૃક્ષ સમાન છે. તમે જે માગો તે આપે. તે નિરંતર સુખ આપનાર છે. જીવહિંસા તો મહાપાપ છે. જીવહિંસા કરનાર આ ભવમાં અને પરભવમાં દુઃખ પામે છે.
ભાઈ, તું સરળ છે. જો તું દુઃખોથી કંટાળ્યો હોય, દુઃખ ટાળવા ઇચ્છતો હોય, સુખ પામવાની તારી અભિલાષા હોય તો હે માછીમાર, તું જીવદયાના ધર્મનું પાલન કર.’
હરિબળે કહ્યું : ‘હે મહાત્મા, તમે કહ્યું તે સાચું છે. દયા જ સાચો ધર્મ છે. પરંતુ હું માછીમાર છું. મારો ધંધો જમાછલાં પકડવાનો અને મારવાનો છે. તો હું કેવી રીતે જીવદયા પાળી શકું ?’
મુનિરાજે કહ્યું ઃ ખેર, તું તારો ધંધો છોડી ન શકતો હોય તો એક નિયમ પાળજેતારી જાળમાં જે પહેલું માછલું આવે, તેને તું જીવતું છોડી દેજે ! જો તું આ એક નિયમનું સારી રીતે દૃઢતાપૂર્વક પાલન કરીશ તો તને મહાન્ સુખની પ્રાપ્તિ થશે. વ્રતના વૃક્ષને ભાવના પાણીથી રોજ સીંચજે.’ હરિબળ વ્રત લે છે :
તેણે મુનિરાજ પાસે વ્રતનો સ્વીકાર કર્યો : મહાત્મા, મારી જાળમાં જે પહેલું માછલું પકડાશે, એને હું છોડી દઈશ, એના પ્રાણ નહીં લઉં.’ મુનિરાજ હરિબળને પ્રતિજ્ઞા આપી, આશીર્વાદ આપી ચાલ્યા ગયા. હરિબળના મનમાં આજે અપાર આનંદનો અનુભવ થવા લાગ્યો. તેણે પોતાની જાતને કૃતાર્થ માની.
એણે નદીમાં પોતાની જાળ નાખી. પાણી ઊંડું હતું. એની જાળમાં એક મોટો મત્સ્ય આવી ગયો...આવો મોટો મત્સ્ય ક્યારેય એની જાળમાં ફસાયો ન હતો. એ રાજી થયો પણ એને નિયમ યાદ હતો. એણે જાળ ખેંચી લીધી. મત્સ્યના ગળે એક કોડી બાંધીને એને પાછો પાણીમાં નાખી દીધો.
ફરીથી એણે પાણીમાં જાળ નાખી. પરંતુ બીજી વાર પણ એ જ મત્સ્ય જાળમાં આવી ગયો. પાછો એને પાણીમાં વહાવી દીધો ! ત્રીજી વાર જાળ નાખી.... પેલો જ મત્સ્ય જાળમાં આવ્યો. પાછો એને પાણીમાં પધરાવી દીધો.
રિબળે જગા બદલી. નદીના દૂરના કાંઠે જઈને એણે જાળ નાખી... ત્યાં પણ એ જ મત્સ્ય જાળમાં આવ્યો ! આ રીતે, સંધ્યા થઈ ગઈ છતાં જાળમાં એનો એ જ
૨૩૪
શાન્તસુધારસ : ભાગ ૩