SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ સમવસરણમાં પધાર્યા, અશ્વ ઉપરથી ઊતરીને ભગવાનને ભાવપૂર્વક વંદના કરી, કુશળપૃચ્છા કરીને યોગ્ય સ્થાને બેઠા. રાજાનો અશ્વ રાજાની પાસે જ ઊભો રહ્યો. ભગવાનની દેશના - અશ્વને પૂર્વજન્મનું સ્મરણ ભગવાને ધર્મદેશનાનો પ્રારંભ કર્યો - મહાનુભાવો ! આ સંસાર અનાદિ-અનંત છે. સંસાર દુઃખરૂપ છે, દુઃખલક છે અને દુઃખોની પરંપરા છે. સંસાર દુઃખોનો દાવાનળ જ છે. કદીય આ દાવાનળ બુઝાતો નથી. એટલા માટે જે જીવાત્મા પ્રબુદ્ધ થાય છે, મોહનિદ્રામાંથી જાગ્રત થાય છે એ દાવાનળમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. ગૃહસ્થ જીવનમાં આ ધર્મપુરુષાર્થ મુખ્યરૂપે બે પ્રકારનો છે ઃ એક જિનપૂજા, બીજો ગુરુસેવા. પરમાત્મા અને સદ્ગુરુના સાન્નિધ્યમાં રહેવાથી જીવોને શ્રદ્ધા, સંવેગ, નિર્વેદ અનુકંપા અને પ્રશમની પ્રાપ્તિ થાય છે. વ્રત-મહાવ્રત ગ્રહણ કરવાની પ્રેરણા મળે છે અને મોક્ષમાર્ગની આરાધના કરવા જીવ શક્તિમાન થાય છે. પ્રતિદિન ત્રિકાળ જિનપૂજા કરવા જિનમંદિરનું નિર્માણ કરવું જોઈએ. જિનમંદિરમાં જિનમૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. પથ્થરની, સોનાની, રત્નની પ્રતિમા બનાવી શકો છો. વીતરાગ અવસ્થાની મૂર્તિનું પ્રતિદિન પ્રભાતમાં, મધ્યાહ્ને અને સંધ્યા સમયે દર્શન, પૂજન, સ્તવન કરવું જોઈએ. આ કરવાથી ચિત્તના સંતાપ દૂર થાય છે. ચિત્તમાં પ્રસન્નતા પ્રકટે છે. ભૌતિક અને આધ્યાત્મિક સંપત્તિ મળે છે. આત્મા મહાત્મા બને છે. સદ્ગુરુના પરિચયથી મોક્ષમાર્ગનું જ્ઞાન મળે છે. ધર્મપુરુષાર્થ કરવાની શક્તિ મળે છે. એટલા માટે સમર્થ સદ્ગુહસ્થોએ જિનમંદિરનું નિર્માણ કરવું જોઈએ.’ ભગવાન મુનિસુવ્રતનો આ ઉપદેશ હેતુલક્ષી હતો, જેમ દેવ અને મનુષ્ય ઉપદેશ સાંભળે છે એમ રાજા જિતશત્રુનો અન્ય પણ પોતાની ભાષામાં ઉપદેશ સાંભળી રહ્યો હતો. તીર્થંકરની વાણી પ્રત્યેક જીવાત્મા પોતપોતાની ભાષામાં સમજી શકે છે. રાજાના પ્રિય અશ્વને ઉપદેશ સાંભળતાં સાંભળતાં પોતાના પૂર્વજન્મ યાદ આવી ગયા ! પૂર્વજન્મ યાદ કરાવવા માટે જ આ પ્રકારનો ઉપદેશ આપવામાં આવ્યો હતો અને આ ઉપદેશ આપવા માટે તો પ્રભુએ એક રાતમાં ૬૦ યોજન વિહાર કર્યો હતો. અશ્વ ચારે પગે નાચવા લાગ્યો. હર્ષધ્વનિ કરવા લાગ્યો. એણે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપી. પરમાત્માની સામે, પરમાત્માની દૃષ્ટિમાં વૃષ્ટિ મેળવીને ઊભો રહ્યો. પછી તે ધીમે ધીમે બેસી ગયો. સમવસરણમાં સોપો પડી ગયો. અલ્પ સમયમાં જ અશ્વનું મૃત્યુ થઈ ગયું. રાજા જિતશત્રુ હતપ્રભ અને વ્યાકુળ થઈ ગયો. પ્રિય અશ્વના મોતથી રાજાની આંખો કરુણા ભાવના ૨૨૯
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy