________________
અશ્વને પ્રતિબોધ કરવા એક રાતમાં ૬૦ યોજન વિહારઃ
રાજગૃહી નગરીના નીલગુહા ઉદ્યાનમાં ભગવાન મુનિસુવ્રતને કેવળજ્ઞાન પ્રકટ થયું. કેવળજ્ઞાનના આલોકમાં તેમણે ચરાચર વિશ્વને પ્રત્યક્ષ જોયું અને જાણ્યું. ત્રણે કાળનાં તમામ દ્રવ્યોનાં પયયોને જોયા. - તેમણે ધર્મતીર્થની સ્થાપના કરી, - ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, - ગણધરોની સ્થાપના કરી અને - ધર્મદશના આપી.
સમવસરણ વિસર્જિત થયો.ભગવાન દેવછંદામાં પધાર્યા, સૂર્ય અસ્તાચળ ઉપર ડૂબી રહ્યો હતો. ભગવાન મુનિસુવ્રતે શ્રમણોને કહ્યું:
હે શ્રમણો ! અત્યારે જ આપણે ભરૂચ તરફ વિહાર કરવાનો છે. સવારે ભરૂચ પહોંચી જવાનું છે.”
શ્રમણોએ કહ્યું: “ભગવન! જેવી આપની આજ્ઞા.' ભગવાને રાત્રિના પ્રારંભમાં જ વિહાર કરી દીધો. એક રાત્રિમાં ૬૦ યોજન વિહાર કરીને પ્રભાતમાં ભરુચના બાહ્યોદ્યાનમાં પહોંચી ગયા.
દેવોએ સમવસરણની રચના કરી, ભરુચની ગલી ગલીમાં ધર્મયીવન રમમાણ થયું. વનપાલકે જઈને રાજા જિતશત્રુને નિવેદન કર્યું - “મહારાજ! ત્રણે ભુવનના તારણહાર તીર્થંકર પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામી વિશાળ મુનિવૃંદની સાથે બાહ્યોદ્યાનમાં પધાર્યા છે અને દેવોએ દિવ્ય સમવસરણની રચના કરી છે.”
રાજા જિતશત્રુ રોમાંચિત થઈ ગયા. ઊભા થઈને હર્ષથી વનપાલકને રહાર ભેટ આપ્યો અને મંત્રીને આજ્ઞા આપી કે “ભરુચમાં સર્વત્ર ઢંઢેરો પિટાવો કે નગરના બાહ્યોદ્યાનમાં ભગવાન મુનિસુવ્રત પધાર્યા છે અને તેમનું સમવસરણ મંડાયું છે. ભગવાનનાં દર્શન કરવા અને એમનો ઉપદેશ સાંભળવા સર્વ પ્રજાજનો આવે. મહારાજા પણ સપરિવાર પધારી રહ્યા છે.'
ભરૂચની ગલગલીમાં અને રાજમાર્ગ ઉપર આ ઉદ્ઘોષણા થવા લાગી. પ્રજાજન હર્ષવિભોર બન્યાં. સુંદર, શ્રેષ્ઠ વસ્ત્રાલંકાર ધારણ કરીને સમવસરણમાં જવા લાગ્યાં. સમવસરણની દિવ્ય શોભા નિહાળીને સર્વ લોકો રોમાંચિત થયા. સમવસરણમાં રત્નજડિત સિંહાસન ઉપર બિરાજમાન ભગવાન મુનિસુવ્રતનું અદ્વિતીય-અદ્ભુત રૂપ જોઈને ભરુચની પ્રજા ભાવવિભોર બની ગઈ.
રાજા જિતશત્રુ પોતાના અતિપ્રિય અશ્વ ઉપર આરુઢ થઈને સપરિવાર [૨૨૮
| શાન્તસુધારસ : ભાગ ૩