________________
सुजना ! भजत मुदा भगवन्तं, सुजना ! भजत मुदा भगवन्तम् । शरणागतजनमिह निष्कारणकरुणावन्तभवन्तं रे ॥ १ ॥ હે સજ્જનો ! હૃદયના હર્ષોલ્લાસ સાથે તમે ભગવાનનું ભજન કરો. પ્રભુની આરાધના કરો. જે પરમાત્મા શરણે આવેલાં પ્રાણીમાત્ર માટે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કરુણાવાન છે.”
क्षणमुपधाय मनः स्थिरतायां पिबत जिनागमसारम् । कापथघटना विकृतविचारं त्यजत कृतान्तमसारं रे ॥ २ ॥ ‘મનને જરા સ્થિર કરીને જિનાગમ-સારનું સુધાપાન કરો. ખોટા રસ્તાઓ તમને ભટકાવી દેશે. ખોટા અને શંકા-સંદેહવાળા વિચારોને પૂર્ણતયા છોડી દો.”
परिहरणीयो गुरुरविवेकी, भ्रमयति यो मतिमन्दम् । सुगुरुवचः सकृदपि परिपीतं प्रथयति परमानन्दं रे ॥ ३ ॥
અવિવેકી ગુરુનો ત્યાગ કરવો જોઈએ. એટલે કે જે ગુરુને હિત-અહિત અને સારાખોટાનો ખ્યાલ ન હોય એને દૂર કરવા જોઈએ - એમનાથી દૂર રહેવું જોઈએ. કારણ કે એવા અવિવેકી ગુરુ પોતાના વાક્યાતુર્યથી ભોળા અને ઓછી બુદ્ધિવાળા લોકોને ભટકાવી દે છે. જ્યારે સદ્ગુરુનું એકાદ વચન પણ સારી રીતે સ્વીકારવામાં આવે અને એ રીતે જીવવામાં આવે તો પરમાનંદનો અનુભવ થાય છે.”
कुमततमोभरमीलितनयनं किमुपृच्छत पन्थानम् । दधिबध्या नर जलमन्थन्यां किमु निदधतमन्थानम् रे ॥४॥ ખોટા માર્ગ અને વિપરીત માન્યતાનો અંધકાર જેની આંખો ઉપર છવાઈ ગયો હોય એમની પાસે તું વાસ્તવિક માર્ગની પૂછપરછ કરે છે ? અરે પાણીને દહીં સમજીને મનુષ્ય જે તેને વલોવે તો શું મળે? ભગવાનની અપૂર્વ કરુણા:
તમારે શું જોઈએ? તમે શા માટે દુનિયામાં આથડી આથડીને દુઃખી થઈ રહ્યા છો? શા માટે નિરાશ થઈને આંસુ વહાવો છો? તમે વીતરાગ પરમાત્માને શરણે ચાલ્યા જાઓ. હર્ષોલ્લાસની સાથે તેમની મનવચનથી સેવા કરો. એ પરમ કરણાવાન છે. તમારાં દુઃખ દૂર કરશે અને મનોવાંચ્છિત સુખ મળશે. પરમાત્માની કરેલી આરાધના, ભક્તિ, સેવા નિષ્ફળ નથી જતી. તમે પૂર્ણ વિશ્વાસથી પ્રભુનું શરણું લઈ લો. એમના જ શરણમાં જીવન સમર્પિત કરી દો.
પરમાત્મા કેવા કરુણાવંત હોય છે એનું એક શાસ્ત્રીય દ્રષ્ટાંત સંભળાવું છું - એ દ્રષ્ટાંત છે ૨૦મા તીર્થંકર મુનિ સુવ્રતસ્વામીનું. કરણા ભાવના
૨૨૭ |