SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ભરાઈ આવી. એ સમયે ભગવાને કહ્યું: રાજનું ! શોક ન કર. તારા અશ્વનો જીવ ઉત્તમ હતો. મરીને તે આઠમા દેવલોકમાં દેવ બન્યો છે. એનો જન્મ દેવગતિમાં થયો છે.' ભગવાન મુનિસુવ્રતનાં વચનો સાંભળીને જિતશત્રુએ પોતાના ઉત્તરીય વસ્ત્રથી આંસુ લૂછીને બે હાથ જોડી, મસ્તક નમાવી વિનંતિ કરી કહ્યું હે ત્રિકાળ જ્ઞાની ભગવંત! હે કરુણાવંત! આપે જે કહ્યું તે સત્ય છે. હું માનું છું કે મારો પ્રિય અશ્વ દેવગતિમાં ઉત્પન્ન થયો છે. આ સાંભળીને મારો શોક દૂર થયો છે. પરંતુ પ્રભો! મારા મનમાં એક જિજ્ઞાસા જાગી છે. આપ આજ્ઞા આપો તો હું જિજ્ઞાસા પ્રકટ કરું.” “રાજન ! પૂછ, જે પૂછવું હોય તે.' પ્રભુ! આપ એક રાતમાં ૬૦યોજનનો વિહાર કરીને અહીં પધાર્યા, મારા અશ્વે ઉપદેશ સાંભળ્યો, તે હર્ષથી નાચ્યો, આપને ત્રણ પરિક્રમા આપી. આપને વારંવાર વંદના કરી અને તે મરી ગયો. આ તમામ વાતો મને રહસ્યપૂર્ણ લાગી છે. કૃપા કરીને આ રહસ્યની સ્પષ્ટતા કરો તો મને ઘણો સંતોષ થશે, મનનું સમાધાન થશે.” રાજ! આ અશ્વ મારો પૂર્વભવનો મિત્ર હતો. મેં મારા જ્ઞાનમાં એને તારે ત્યાં અથરૂપે જોયો. એનું અલ્પાયુષ્ય જોયું. એને પ્રતિબોધ આપવા માટે રાત્રે ૬૦યોજન ચાલીને અહીં આવ્યો ! એને સદ્ગતિ થઈ... મિત્રધર્મનું પાલન કર્યું !' પરમાત્મા કેવા પરમ ઉપકારી હોય છે તે તમે જોયું ને? એટલા માટે પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાવાન બનો. એમના શરણમાં રહો. એમનાં ગીત ગાતાં રહો. હર્ષથી એમનાં દર્શન-પૂજન કરો, સ્તુતિ-પ્રાર્થના કરો. બીજી વાત ગ્રંથકારે કહી છે - જિનાગમ એટલે કે સમ્યગૃજ્ઞાનનું પ્રતિદિન પાન કરો. સદ્ગુરુની પાસે વિનયપૂર્વક બેસીને સાંભળો. પરંતુ મનને સ્થિર કરીને સાંભળજો. સામુપાય મન થિતયાન ! થોડી ક્ષણો માટે મનની ચંચળતા દૂર કરીને શાસ્ત્રશ્રવણ કરવું જોઈએ. જે શાસ્ત્રશ્રવણ, જ્ઞાનપ્રાપ્તિ ન કરી તો ખોટા માર્ગે ભટકાશો. મનમાં પોતાના જ ધર્મના વિશે શંકાઓ અને સંદેહ ભરાઈ જશે અને તમે શ્રદ્ધાભ્રષ્ટ થઈ જશો. સ્થિર મનથી શાસ્ત્રશ્રવણ કરો: પ્રકૃતિની પ્રતિકૂળતા, જમાનાનો દોષ, કળિયુગનો પ્રવાહ અને ભાગ્યનું ચક્ર આદિ કારણો બતાવીને પોતાના મનને સમજાવવાનો પ્રયત્ન ન કરો. એનાથી કશું સમાધાન નથી મળતું. તથ્યના મૂળ સુધી પહોંચવું હોય તો એનિષ્કર્ષ સુધી પહોંચવું પડશે કે વ્યક્તિની અન્તસ્થિતિ જે પ્રગતિ યા તો અવગતિ માટે જવાબદાર છે. મનનો એ વિવેક હોવો જોઈએ કે શું કરવું અને શું ન કરવું? આ નિર્ણય-નિશ્ચય | ૨૩૦ ા ા શાન્ત સુધારસઃ ભાગ ૩]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy