________________
રાખે છે અને રાગદ્વેષ કરે છે. મૃત્યુ ઉપરાંત જીવનની પુનરાવૃત્તિનું સનાતન ચક્ર એ ચેતનસત્તા (આત્મા) દ્વારા ગતિશીલ રહે છે. આ સંસાર નિર્જીવ યંત્ર માત્ર નથી. આ બધું અનાયાસ, અકસ્માત જ નથી બની ગયું. ચેતન અને અચેતન, દરેક પદાર્થમાં એક જ્ઞાનશક્તિ કામ કરી રહી છે. એનું નામ ભલેને ગમે તે આપવામાં આવે. આ
ચેતનશક્તિ જ વિશ્વ - બ્રહ્માંડમાં વ્યાપ્ત છે.
વસ્તુતઃ હવે વિજ્ઞાનનું જડ પદાર્થો સાથેનું આકર્ષણ સમાપ્ત થઈ ગયું છે. ચેતના, મન અને આત્માના અસ્તિત્વને માનવામાં વધી રહ્યું છે.
આમ તો અધ્યાત્મ અને વિજ્ઞાન બંને આ વિશ્વની મહાન શક્તિઓ છે. બંનેના સમર્થન અને સહયોગથી સત્યની વધારે નજીક પહોંચવાનો અવસર મળશે. અધ્યાત્મ વિજ્ઞાન કરતાં ઊતરતું નથી, ચડિયાતું છે. જો આત્માનું અસ્તિત્વ માનીએ તો અધ્યાત્મવાદ માનવો જ પડશે અને ત્યારે આત્મહિતનો વિચાર આવવો સ્વાભાવિક છે, આત્મહિતનો ઉપદેશ સાંભળવો પસંદ પડે છે. આત્મહિત માટે ધર્મનું ચિંતન, મનન અને પાલન કરવું આવશ્યક બની જાય છે. પરંતુ જે માણસોને આત્મહિતનો ઉપદેશ સાંભળવો પસંદ નથી, મનમાં ધર્મનો વિચાર માત્ર પણ કરતા નથી અને અનેક દુઃખ-ત્રાસ અને ઉપાધિઓથી દુઃખી થાય છે એમને શું કહીએ ? એમના પ્રત્યે કરુણાભાવ જ ભાવવાનો છે. એવા લોકોને સન્મતિ પ્રાપ્ત થાય... એમનાં દુઃખ નષ્ટ થાય... એ જ ભાવના શ્રેયસ્કર છે. હિતોપદેશ રાજકુમારીએ ન સાંભળ્યો તો ?
એ એક રાજકુમારી હતી. અપાર રૂપસંપત્તિની સ્વામિની ! પરંતુ એનું રૂપ ગર્વમંડિત હતું ! અહંકારની સ્વાભાવિક આભા એના હાવભાવ અને વ્યવહારમાં સહજ પરિલક્ષિત થતી હતી. એ દિવસોમાં રાજાઓની સત્તા અબાધિત હતી. સમગ્ર શક્તિ અને સત્તા તેમની આજુબાજુ ફરતી હતી. એમની મરજીને માત્ર કાયદો જ નહીં પરંતુ ઈશ્વરની શક્તિ માનવામાં આવતી.
આવી અબાધિત સત્તા ભોગવનાર રાજાની રાજકુમારી પોતાની સામે કોઈને ય ગણતી ન હતી. એને ગરીબ દુઃખી લોકોની મજાક ઉડાવવામાં મજા પડતી હતી. કોઈની પણ મજાક કરવી, એને પોતાનાં વ્યંગ-બાણોથી ઘાયલ કરવો એ એની પ્રિય આદત થઈ ગઈ હતી.
રાજમહેલ નદીને કિનારે હતો. એક દિવસ રાજકુમારી પોતાની સહેલીઓ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. તેણે ત્યાંથી પાછા ફરતાં આવતા-જતા અનેક લોકો ઉપર ભાતભાતનાં વ્યંગ-બાણો છોડવાં શરૂ કર્યાં - જુઓ તો, પેલા આદમીના કાન કેવા છે. જાણે હાથીના કાન... અને પેલાનું નાક... જાણે સૂવરનું નાકર ચોંટાડ્યું ! દાંત
શાન્તસુધારસ : ભાગ ૩
૨૨૦