SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ હજારો વ્યક્તિઓની સાથે એવી નાનીમોટી ઘટનાઓ બને છે, તેમાંથી કેટલીકને સંયોગ યા તો અપવાદ માની લેવામાં આવે તો પણ કેટલીક તો વિલક્ષણ હોય છે કે જેમને માત્ર સંયોગ ન કહી શકાય.” “ધ રુટ્સ ઓફ કો-ઈન્સિડન્સ' નામે પુસ્તકમાં આર્થર કોસ્લરે લખ્યું છે કે આ માધ્યમથી બ્રહ્માંડવ્યાપી અદ્રશ્ય ચેતનશક્તિઓ શરીરધારી મનુષ્યો સાથે સંપર્ક સાધતી, એમને પૂવભાસ કરાવતી, માર્ગદર્શન આપતી અને સંકટના સમયે મનોબળ વધારતી હોય છે અને ઉત્કટ ચિંતન જન્માવે છે. એમને અદ્રશ્ય સહાયકની ‘ઇન્વિસિબલ હેલ્પર્સ'ની ઉપમા આપી શકાય. નાસ્તિકવાદનું પરિણામ પ્રમાદાચરણઃ કહેવાનું તાત્પર્ય એ છે કે વર્તમાન સમયમાં પણ આત્માના, પુનર્જન્મના, સ્વર્ગના, અદ્રશ્ય ચેતનાશક્તિના અસ્તિત્વને મોટા મોટા વૈજ્ઞાનિકો, પરામનોવૈજ્ઞાનિકો અને મૂર્ધન્ય કોટિના મનીષી લોકો માને છે, છતાં પણ કેટલાક વિલક્ષણ બુદ્ધિવાળા, કુટિલ અને પ્રપંચી લોકો આત્મા નથી. પુનર્જન્મ નથી. બધું જ અહીં પંચભૂતમાં વિલીન થવાનું છે... પછી શા માટે ધર્મ આચરવો? શા માટે દાન આપવું? શા માટે શીલધર્મનું અને તપનું આચરણ કરવું? જે ઈચ્છા હોય તે ભોગવો, ખાઓ, પીઓ અને મોજથી જીવો!! છળ, કપટ, વંચના, હિંસા, બળાત્કાર આદિ અનેક પાપો નાસ્તિક લોકો ખચકાટ વગર કરે છે. આવા લોકો મરીને નર્કયા નિગોદમાં ઉત્પન્ન થાય છે. ત્યાં અસંખ્ય વર્ષો સુધી વિવિધ દુઃખો સહન કરે છે. શું કરવાનું?એમના પ્રત્યે પણ કરુણા ભાવના. જ ભાવવાની છે. ગ્રંથકાર આગળ વધતાં કહે છે - श्रुणवन्ति येनैव हितोपदेशं, न धर्मलेशं मनसा स्मरन्ति । रुजः कथंकारमथाऽपनेयास्तेषामुपायस्त्वयमेक एव ॥ ६ ॥ જે પ્રાણીઓ હિતનો ઉપદેશ સાંભળતાં નથી, ધર્મની એક પણ વાત મનમાં લેતા નથી, તો પછી એમની ઉપાધિઓનો અંત આવે પણ કેવી રીતે? આવા જીવો પ્રત્યે કરુણા ભાવના જ રાખવાનો એક માત્ર ઉપાય છે.” ન હિતોપદેશ જોઈએ, ન ધર્મઃ અનેક દૃષ્ટાંતોથી, તર્કથી સમજાવીએ છીએ કે જડ પ્રકૃતિની અંદર એક જ્ઞાનવાન પરોક્ષ ચેતના કામ કરી રહી છે. આપણે ભલે એનું સ્વરૂપ ન જાણતા હોઈએ, એના ક્રિયાકલાપ ન જાણતા હોઈએ, પરંતુ એ અનુભવ કરીએ છીએ કે સંસારમાં જે કંઈ થઈ રહ્યું છે તે અનાયાસ, આકસ્મિક યા અવિચારપૂર્ણ નથી. વિખ્યાત મનીષી હર્બર્ટ સ્પેન્સર, ડૉ. ગાલ વગેરે કહે છે કે સંસારની મુખ્ય સત્તા જડ પદાર્થ નહીં, પરંતુ ચેતનસત્તા છે. જે સમજે છે, અનુભવ કરે છે, વિચારે છે, યાદ કરૂણા ભાવના ફક . ૨૧૯]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy