SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ ન કરે અને દુર્ગતિના ખાડામાં ન પડી જાય. નાસ્તિકવાદ - પ્રવર્તકો પ્રત્યે ભાવકરુણાઃ ગ્રંથકાર કરુણાભાવની પ્રસ્તાવનામાં પાંચમા શ્લોકમાં કહે છે - प्रकल्पयन् नास्तिकवादिवादमेवं प्रमादं परिशीलयन्तः ।। मग्ना निगोदादिषु दोषदग्धाः दुरन्तदुःखानि हहा ! सहन्ते ॥५॥ કેટલાક લોકો નાસ્તિકવાદનું પ્રવર્તન કરીને પ્રમાદને થાબડે છે દોષોના વમળમાં ફસાઈને નિગોદ વગેરેમાં અપરંપાર દુઃખોને સહન કરે છે.’ નાસ્તિકવાદનો અર્થ છે - “આત્મા, પરલોક, સ્વર્ગ, મોક્ષ પરમાત્માદિ પરોક્ષ તત્ત્વોને માનવાં. પુણ્યપાપને ન માનવા! કર્મબંધ અને કર્મફળને ન માનવાં અને આ બધાં ન માનીએ તો પછી પાંચે પ્રમાદોનું સેવન કરવામાં શા માટે અટકશે ? માંસાહાર, મદ્યપાન, જુગાર, દુરાચાર, ચોરી ઈત્યાદિ પાપ નિસંકોચ કરશે. આવા પાપી લોકો મરીને નરકનિગોદમાં અપાર દુઃખ સહન કરે છે. આવા જીવો પ્રત્યે પણ દયા-કરુણાભાવ જ રાખવો પડશે. કની પરવશતા એવા જીવોને દુર્ગતિઓમાં ભટકાવે છે.” વાસ્તવમાં આપણાં શાસ્ત્રોમાં, આગમોમાં, વિભિન્ન કથાઓમાં વિભિન્ન જીવોનું વર્ણન મળે છે. નરકના જીવોનું અને સ્વર્ગના જીવોનું વર્ણન મળે છે. દેવસૃષ્ટિ તો પૃથ્વીવાસીઓને મદદ પણ કરે છે. એ સૂક્ષ્મ દેહધારી હોય છે. એટલે કે વૈક્રિય શરીરધારી હોય છે. આ કારણે એમની સ્થિતિ “ફોર્થ ડાયમેંશન” અર્થાત્ ચતુર્થ આયામથી પણ પર છે. પરંતુ સાધના અને તપશ્ચર્યાથી અર્જિત દિવ્યદ્રષ્ટિસંપન્ન શરીરધારી સાધક એ દેવદેવીઓનું સાનિધ્ય પ્રાપ્ત કરીને માર્ગદર્શન પામી શકે છે. ઈચ્છિત વસ્તુ પણ પામી શકે છે. શાસ્ત્રો પ્રમાણે જન્મ-મરણના ચક્કરમાં ઘૂમતો જીવ સ્વર્ગ-નરક, પ્રેત, પિશાચ, કૃમિ, કીટક, પશુપક્ષી અને મનુષ્યયોનિ પ્રાપ્ત કરે છે. બૃહદ્ સંગ્રહણીમાં આનું વિસ્તૃત વર્ણન મળે છે. થિયોસોફિકલ સોસાયટીનાં મેડમ બ્લેવસ્કી અને લેડવીટર જેવા મૂર્ધન્ય મનીષીઓને મરણોત્તર જીવન (પરલોક) ઉપર પૂર્ણ વિશ્વાસ રહ્યો છે. પ્રત્યક્ષવાદને જ મુખ્ય માનનાર કેટલાક વૈજ્ઞાનિકોના પરિહાસની ઉપેક્ષા કરીને કેટલાય મૂર્ધન્ય પરામનોવૈજ્ઞાનિકો અને ભૌતિકવિદોએ એવી ઘટનાઓનું સંકલન કરીને વિશ્લેષણ કર્યું અને જાણ્યું કે કોઈ અદ્રશ્ય શક્તિ કે જેની આજ સુધી શોધ થઈનથી તે આવા પ્રસંગોનું કારણ બને છે. જેને પરોક્ષ અનુદાન સહાયતાના રૂપમાં જોવામાં આવે છે. સુપ્રસિદ્ધ ભૌતિક વિજ્ઞાની માર્ટિન ગાર્ડનરે લખ્યું છે કે આ સંસારમાં નિત્ય | શાન્તસુધારસ ભાગ ૩| ૨૧૮
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy