________________
રાષ્ટ્રીય મિથ્યાચાર ઃ
રાષ્ટ્રીય જીવનનો મિથ્યાચાર સૌથી વધારે ભયાનક હોય છે. આ મિથ્યાચાર પરાધીનતા, શોષણ, અત્યાચારનો હેતુ બને છે, એટલું જ નહીં, કોઈ કોઈ વાર તો રાષ્ટ્રીય સ્તરનો મિથ્યાચાર રાષ્ટ્રોને જ મિટાવી દે છે. આજે ખેદ સાથે કહેવું પડે છે કે ભારતીય જીવનમાંથી ઇમાનદારી, સચ્ચાઈ દિનપ્રતિદિન ઘટતી જાય છે. સચ્ચાઈ અને નૈતિકતા માટે પ્રસિદ્ધ ભારત આજે મિથ્યાચાર અને અનૈતિકતા માટે ખરાબ રીતે બદનામ થઈ ગયો છે.
આજના વિસ્તરેલા આર્થિક દુરાચાર, ગોટાળા આદિના મૂળમાં ધનની અપરિમિત લિપ્સા જ કામ કરી રહી છે. એ સ્પષ્ટ જ છે કે જીવનની વાસ્તવિક આવશ્યકતાઓ કોઈને ય ભ્રષ્ટાચાર માટે વિવશ કરતી નથી, કારણ કે માનવની અનિવાર્ય આવશ્યકતાઓ એટલી ઓછી હોય છે કે ઇમાનદારીની કમાણીથી જો મિતવ્યયિતા અને સાદગીનું જીવન જીવવામાં આવે તો સહજ રીતે પૂર્ણ થઈ શકે તેમ છે.
આજનો સમગ્ર મિથ્યાચાર આવશ્યકતાઓ અને આડંબરપૂર્ણ, નિરર્થક ખર્ચની આદતોને કારણે ફેલાયો છે. આજના યુગમાં લોકો ભારે પ્રદર્શની અને દુર્વ્યસની બની ગયા છે. બિનજરૂરી અપવ્યયે તેમની આવશ્યકતાઓને જમીન ઉપરથી આસમાને પહોંચાડી દીધી છે. આપણા જીવનમાં ધર્મવાદનું સ્થાન ભોગવાદે લીધું છે. ઓછામાં ઓછા પરિશ્રમે અધિકમાં અધિક ધન પેદા કરવાની પ્રવૃત્તિએ લોકોને ભ્રષ્ટાચારના પાપ તરફ અગ્રેસર કરી દીધા છે, જ્યાં આ પતનમાં મનુષ્યની માનસિક દુર્બળતા કામ કરી રહી છે તેમાં કંઈ કેટલા ખર્ચાળ સામાજિક રીતરિવાજો એને માટે જવાબદાર છે. માણસને કોઈ પણ પ્રકારે વધારે પૈસા કમાવા માટે મજબૂર કરી રહ્યા છે.
આની સાથે જ સમાજમાં પૈસો જ આદર, સન્માન અને મોટાઈનો માપદંડ બનતો ગયો છે. જેની પાસે જેટલા વધારે પૈસા એ આદમી એટલો જ મોટો અને આદરપાત્ર માનવામાં આવે છે. પાપથી પૈસા કમાનાર મનુષ્યને પણ આદર મળી શકે તો કોઈ પ૨સેવાની કમાણી ઉપર વિશ્વાસ શા માટે રાખે ? લોકો નિષ્ઠા, પરિશ્રમ અને પુરુષાર્થ સિવાય ધૂર્તતા, ભ્રષ્ટાચાર તથા બેઇમાની દ્વારા વધારે પૈસા ભેગા કરવા લાગ્યા છે.
એટલા માટે પૈસાને કારણે ગમે તેને સન્માન આપવું એટલે ભ્રષ્ટાચાર અને બેઇમાનીની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. આ બાબત કેટલી કરુણાસ્પદ છે ! ભ્રષ્ટાચાર અને બેઇમાનીનાં પરિણામ સ્વરૂપ જીવોને કેટલાં... કેવાં ઘોર દુઃખો ભોગવવાં પડશે ? આપણે તો એમના પ્રત્યે કરુણાભાવ જ રાખવાનો છે કે એ લોકો
કરુણા ભાવના
૨૧૭