________________
ધનવાન થવાની મહેચ્છા - સતત આર્તધ્યાન:
મનુષ્યને ભોજનની ચિંતા હોવી એ સહજ છે. પરંતુ ભોજન મળ્યા પછી ઉત્તમ. ષડ્રરસયુક્ત ભોજનની મહેચ્છા સતાવે છે. કપડાં જોઈએ. કપડાં મળી જાય છે. પરંતુ હવે તો મારે ફેશનેબલ કીમતી, સુંદર કપડાં જોઈએ. - આ પ્રબળ ઈચ્છા વધારે ધનવાન બનાવવા માટે ઉત્તેજિત કરે છે.
રહેવા ઘર જોઈએ, મળી ગયું ઘર. હવે તો મારે બંગલો જોઈએ, તમામ સગવડતા-સુવિધાવાળો ફ્લેટ જોઈએ. બસ, પછી એ... લાખો રૂપિયા કમાવા માટે ખરા-ખોટા ઉપાયો શોધવા લાગે છે. મહિલા માટે સૌભાગ્યનાચિહ્નરૂપ સુવર્ણ કંકણ મળ્યું, ગળામાં સોનાનો દોરો મળ્યો, પરંતુ એનાથી સંતોષ ક્યાં છે? વધારે ઘરેણાં જોઈએ! સોનાનાં... હીરાનાં. મોતીનાં.. લાખો રૂપિયાનાં ઘરેણાં જોઈએ.
સંતાન નથી, ચિંતા થાય છે. સંતાન થયું પરંતુ છોકરી આવી! મારે તો દીકરો જોઈએ. બીજી પણ છોકરી જન્મી... ત્રીજી છોકરી. બસ, જુઓ એનો ઘોર સંતાપ અને કલ્પાન્ત, પરંતુ ચોથું સંતાન છોકરો આવ્યો. અતિશય ખુશી મનાવી, ફરી છોકરીઓના વિવાહની ચિંતા. વિવાહ થતાં તેમના સાસરાપક્ષની ચિંતા. ચિન્તા - એક વ્યાપક ચિંતનઃ
સતત ચિંતા કરનારો માણસ એક યોદ્ધા કરતાં વધારે તનાવ સહન કરે છે. યુદ્ધમાં જે લડે છે તે યોદ્ધો વોરિયર (Warrior) કહેવાય છે. ચિંતા (વરિ) કરે તે વરિયર (warriorકહેવાય છે. આમ એક ચિંતકે ચિંતાનું પૃથક્કરણ કરીને કહ્યું છે: ત્રીસ ટકા જેટલી ચિંતાઓ એવા નિર્ણયના વિષયમાં હોય છે કે જેનિર્ણયો બદલી
શકાતા નથી. પ બાર ટકા જેટલી ચિંતાઓ બીજા લોકો આપણી ટીકા-નિંદા કરે છે એ વિષયની
હોય છે. એમાં મોટા ભાગની ચિંતાઓ સાચી નથી હોતી. - દશ ટકા ચિંતાઓ આપણા સ્વાચ્યવિષયક હોય છે. | ચાલીસ ટકા ચિંતાઓ આપણા ભવિષ્યની બાબતમાં અને કામવિષયક હોય છે.
સાથે સાથે કેટલીક એવી ઘટનાઓ વિષે હોય છે કે જે ઘટનાઓ ભવિષ્યમાં કદી બનતી જ નથી !! માત્ર આઠ ટકા ચિંતાઓ સાચી હોય છે, જેનું નિવારણ આપણે યોગ્ય સમયે કરી શકીએ છીએ. ચિંતા આપણો પીછો છોડતી નથી. આ પણ એક પ્રકારનું બ્લેક મેઈલ જ છે ને! આજના મનુષ્યને જૂના જમાનાના મનુષ્યની અપેક્ષાએ વધારે ચિંતા રહે છે.
કરૂણા ભાવના
૨૦૯