________________
જ્યારે તમે ટી.વી. જોવા બેસો છો ત્યારે સ્ક્રીન પાછળથી જે કેથોડ રેગનમાંથી પ્રકાશનો તીવ્ર પ્રવાહ વહે છે - કલર ટી.વી.માં તો એની શક્તિ ૨૫ હજાર કિલોવોટની હોય છે. બ્લેક એન્ડ વ્હાઇટમાં ૧૮ હજાર કિલોવોટની હોય છે. સ્ક્રીન ઉપર જે ફોફેટનાં બિંદુ હોય છે, એમની ઉપર જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે તેને પ્રકાશના રૂપમાં પ્રેક્ષક જુએ છે.
પુરાવા સાથે એવું નિશ્ચિત કરવામાં આવ્યું છે કે કોમળ બાળક જેટલું વધારે ટી.વી. જુએ છે એટલા પ્રમાણમાં એની ભાષા ગ્રહણ કરવાની શક્તિ ઓછી થાય છે. એનું મુખ્ય કારણ એ છે કે એ બાળક ટી.વી.ની સામે પડયું રહે છે, લોકોની સાથે વાત પણ ઓછી કરે છે.
આપણે ત્યાં તો એવાં અજ્ઞાની માતાપિતા પણ છે કે જો બાળકો ટી.વી.ના ડાયલોગ યા વિજ્ઞાપનનાં વાક્યો બોલે છે તો તે ઘણાં જ ફલાઈ જાય છે. કહે છે? જુઓ, અમારું આ બાળક કેટલું સ્માર્ટ છે? ટી.વી.માં જે આવે છે તે તેને યાદ રહી જાય છે.'
કેટલીય વાર બાળકો ટી.વી.ની સામે લાંબાં ટૂંક... ઊંધાં પડ્યાં રહે છે અને ટી.વી. જુએ છે. એ રીતે પડ્યા રહેવાથી શારીરિક રોગ થાય છે. બાળકોમાં શિસ્ત ઓછી થાય છે. એ બાળક વ્યાયામ, યોગાસન અને બીજી દોડમાં, તરવામાં અને એવી રમતોમાં રસ નથી લેતું.
આજે તો તમને ટી.વી.ના પ્રદૂષણ અંગે ઘણું બધું કહ્યું છે, પરંતુ તમે લોકો એ તથ્યોને સમજશો? ઘરમાંથી ટી.વી.ને દૂર કરશો? ઘરના માણસોને સમજાવવા પડશે. ગમે તેમ કરો, પરંતુ ટી.વી.ના આ રાક્ષસને-ભૂતને ઘરમાંથી બહાર કાઢો. તમારી ઘણી ચિંતાઓ, વ્યગ્રતાઓ અને ફાલતું ટેન્શનો દૂર થઈ જશે.
उपायानां लक्षः कथमपि समासाद्य विभवं भवाभ्यासात्तत्र ध्रुवमिति निबध्नातिहृदयम् । अथाकस्मादस्मिन् विकिरतिरजः क्रूरहृदयो रिपूर्वा रोगो वा भयमुत जरा मृत्युरथवा ॥ २ ॥
આડુંઅવળું, મન ફાવે તે રીતે ગમે તે ભોગે, સાચું-જૂતું. ઊલટું સુલટું અહીંતહીં -ગમે તેમ કરીને માણસ વૈભવ પૈસા) એકત્ર કરે છે અને આદતથી મજબૂર બનીને એને ચિરસ્થાયી સમજી એની સાથે હૃદયથી જોડાઈ જાય છે. પરંતુ રોગ, ભય, વૃદ્ધત્વ અથવા મોત જેવા ક્રૂર શત્રુઓ આ સમગ્ર વૈભવોની સ્વપ્નસૃષ્ટિ ઉપર ધૂળ વાવી દે છે - રાખ નાખી દે છે!
| ૨૦૮
શાન્ત સુધારણ ભાગ ૩]