________________
સામે વટાણાના છોડ વાવ્યા, તો ટી.વી.માંથી નીકળતા ટોટિક્સ રેડિયેશનને કારણે એ છોડ વિકૃત થઈ ગયા. છોડનાં મૂળ જમીનમાંથી વાંકા વળીને બહાર નીકળી ગયાં હતાં. ટી.વી. જોવાથી બાળકો થાકેલાં લાગે છે. આ વાત વાંચીને ઓટ્ટને આ શોધ કરવાની પ્રેરણા મળી હતી.
વિશ્વપ્રસિદ્ધ પેગ્વિન’ પ્રકાશન કંપનીએ પાંચ-સાત વર્ષ પૂર્વે એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું- The plugin drug. - આ પુસ્તક દ્વારા ટી.વી.ની બાળકો ઉપર શું અસર પડે છે એની અભ્યાસાત્મક વાતો બહાર આવી છે. ઓસ્ટ્રેલિયામાં શિક્ષક, માનસશાસ્ત્રી, ડૉક્ટર વગેરેએ કેટલાંય બાળકોનાં માતાપિતાએ નોંધેલી વાસ્તવિક વાતો આ પુસ્તકમાં આપવામાં આવી છે.
એક અનુભવસિદ્ધ કથન આ પુસ્તકમાં બતાવ્યું છે કે ટી.વી. જોવાથી બાળકોની આંખો ઉપર અને વિકાસ કેન્દ્રો પર ટી.વી.નાં કૃત્રિમ પ્રકાશનો દુપ્રભાવ પડે છે. એનાથી બાળકોની બુદ્ધિ અને દિમાગનો વિકાસ અટકી જાય છે. સતત ટી.વી. જોનારા બાળકોની ઊંઘ પણ ઓછી થઈ જાય છે. એમની ક્રમબદ્ધતા બદલાઈ જાય છે. જ્ઞાનતંતુઓ શિથિલ થઈ જાય છે. બાળકો-કિશોરો વારંવાર હતાશા-નિરાશ થઈ જાય છે. સ્વપ્નો પણ સારાં નથી આવતાં. ભૂખ, તરસ, મળમૂત્ર વિસર્જન વગેરેનો ક્રમ તૂટી જાય છે. ૧ ટી.વી.નો દુwભાવ એવો હોય છે કે જેને આપણે આંખો દ્વારા જોઈ શકતા નથી. બાળકોના દિમાગનું સેટિંગ જ એવું હોય છે કે એ કોઈ પણ વિચારને ગ્રહણ કરી શકે છે. સતત ટી.વી. જોવાથી બાળકોના ડાબા મગજમાં ભાષા, હાલવું, ચાલવું, તરંગો અને વિચારો મુદ્રિત થાય છે અને બધું યોગ્ય છે કે અયોગ્ય છે એ નિશ્ચય કરવાનું કાર્યડાબું મગજ કરે છે. પણ ટી.વી જોનારાઓનું ડાબું મગજ પ્રાયઃ નિષ્ક્રિય રહે છે. આથી સત્ય-અસત્યનો નિર્ણય બાળક સ્વયં નથી કરી શકતું. જેમ જેમ બાળક મોટું થાય છે અને મગજનું કાર્ય વધે છે અને ડાબું મગજનિષ્ક્રિય થઈ જતાં તે સક્રિય કામ કરી શકતું નથી. ટી.વી.નો દુગ્ધભાવ અધ્યયન ઉપરઃ
અભ્યાસ-અધ્યયનમાં મંદતા લાવનાર ટી.વી.ને લાત મારીને ૧૯૮૭માં બારમા ધોરણમાં બોર્ડમાં ફર્સ્ટ આવનાર કિશોરે કહ્યું - “મારી સફળતાનું રહસ્ય ટી.વી. ત્યાગમાં છે. પ્રતિદિન ટી.વી. ઉપર આંખો માંડીને બેસનારા હજારો વિદ્યાર્થીઓ પોતાના લાખો કલાકો વેડફી મારે છે અને પોતાની કારકિર્દીને ભૂમિશરણ કરી દે છે. પોતાના અધ્યયન માટેનો કીમતી સમય વ્યર્થ ગુમાવે છે, બગાડે છે. આ વાત તેમનાં માતાપિતા કેમ સમજતાં નહીં હોય?
|
કરુણા ભાવના
૨૦૭