SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. પાપમતિઃ - નિરંતર પાપવિચાર કરનારી નરકગતિનું આયુષ્ય બાંધે છે. નિરંતર હિંસાના, જૂઠના, ચોરીના, મૈથુનના, પરિગ્રહના કષાયોના વિચાર કરનાર નરકગતિનું આયુષ્યકર્મ બાંધે છે. કોઈ પણ પાપવિચાર નિરંતર ન કરવો જોઈએ. ૭. રૌદ્રધ્યાનઃ i નિરંતર હિંસા, અસત્ય, ચોરી આદિ કરવાં. હિંસાદિ સર્વ પાપોમાં પ્રવૃત્તિ કરવી. અજ્ઞાનથી, કુશાસ્ત્રોના સંસ્કારથી, હિંસાદિ પાપોમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરવી. . આમરણાન્ત, થોડોક પણ પશ્ચાત્તાપ કર્યા વગર કાલસૌકર કસાઈ વગેરેની જેમ હિંસાદિમાં પ્રવૃત્તિ કરવી. નરકગતિનું વિસ્તૃત સ્વરૂપઃ નારકોનાં નિવાસસ્થાન અધોલોકમાં છે. ત્યાંની ભૂમિઓ નરકભૂમિઓ કહેવાય છે. આ ભૂમિઓની સંખ્યા સાત છે. એ સમશ્રેણીઓમાં નથી, પરંતુ એકબીજાની નીચે છે. એમની લંબાઈ અને પહોળાઈ સમાન નથી. પરંતુ નીચે નીચેની ભૂમિની લિંબાઈ-પહોળાઈ અધિક અધિક હોય છે. અતિ પહેલી ભૂમિ કરતાં બીજીની લંબાઈ-પહોળાઈ વધારે હોય છે. બીજી કરતાં ત્રીજીની. આ રીતે છઠ્ઠીથી સાતમી સુધીની લંબાઈ-પહોળાઈ વધારે ને વધારે હોય છે. આ સાતે ભૂમિઓ એકબીજીની નીચે છે, પરંતુ તદ્દન જોડાયેલી નથી. એક બીજીની વચ્ચે ખૂબ અંતર છે. એ અંતરમાં ઘનોદધિ, ઘનવાત, તનવાત અને આકાશ ક્રમશઃ નીચે નીચે હોય છે. અર્થાતુ પહેલી નરકભૂમિની નીચે ઘનોદધિ છે. એની નીચે ઘનવાત, ઘનવાતની નીચે તનવાત અને તનવાતની નીચે આકાશ છે. આકાશ પછી બીજી નરકભૂમિ છે. બીજી ભૂમિ અને ત્રીજી ભૂમિની નીચે ક્રમશઃ ઘનોદધિ આદિ છે. આ રીતે સાતમી ભૂમિ સુધી સર્વ ભૂમિઓની નીચે એ જ ક્રમે ઘનોદધિ આદિ છે. ઉપરની અપેક્ષાએ નીચેની પૃથ્વીનપિંડભૂમિનો વિસ્તાર અથતિ ઉપરથી લઈને નીચેના તળ સુધીનો ભાગ ઓછો ઓછો છે. પ્રથમ ભૂમિનો વિસ્તાર એક લાખ એંશી હજાર યોજન, બીજીનો એક લાખ બત્રીસ હજાર, ત્રીજીનો એક લાખ અઠ્ઠાવીસ હજાર, ચોથીનો એક લાખ વીસ હજાર, પાંચમીનો વિસ્તાર એક લાખ અઢાર હજાર, છઠ્ઠીનો એક લાખ સોળહજાર તથા સાતમીનો એક લાખ આઠ હજાર યોજન છે. | ૮ | E | શાન્તસુધારસઃ ભાગ ૩]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy