________________
૩. પરિગ્રહ :
નરકગતિમાં જવાનું ત્રીજું કારણ છે પરિગ્રહ. પરિગ્રહ એટલે કે મૂર્છા - મમત્વ. ધન-સંપત્તિ અને વૈભવનું મમત્વ વર્તમાનકાળમાં અત્યંત વધી ગયું છે. એનું ફળ છે અસંતોષ, અવિશ્વાસ અને આરંભ-સમારંભ. એનો અર્થ દુઃખ, કષ્ટ અને અશાંતિ. સમગ્ર વિશ્વને પોતાની આંગળીના ઇશારે નચાવનાર આ દુષ્ટ ગ્રહને ઉપશાંત કર્યા વગર જીવને સુખશાંતિ અસંભવિત છે.
સગર ચક્રવર્તીને કેટલા પુત્રો હતા ? કુચિકર્ણને ત્યાં કેટલી ગાયો હતી ? તિલક શ્રેષ્ઠીના ભંડારમાં કેટલું અનાજ હતું ? મગધ સમ્રાટ નંદ રાજાની પાસે કેટલું સુવર્ણ હતું ? પરંતુ એ બધાંને તૃપ્તિ ક્યાં હતી ? પરિગ્રહ મમત્વને કારણે મનુષ્યમાં તામસભાવ અને રાજસભાવનું પૂર આવી જાય છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજીએ કહ્યું છે -
दोषास्तु पर्वतस्थूलाः प्रादुष्यन्ति परिग्रहे ।
પરિગ્રહને કારણે પર્વત જેવા વિશાળ અને ગંભીર દોષો પેદા થાય છે. એનાથી આવર્જિત માનવ પોતાના પિતાની હત્યા કરવામાંય પાછો પડતો નથી. મુનિહત્યા કરવામાંય ગભરાતો નથી. ધનધાન્ય, સંપત્તિ-વૈભવ, પરિવાર, ભવન અને વાહન વગેરે પરિગ્રહ છે. આત્માથી ભિન્ન પદાર્થો માટે મૂચ્છા-મમત્વ પરિગ્રહ છે. ધનસંપદા આદિ બાહા પરિગ્રહ છે. મિથ્યાત્વ - અવિરતિ આદિ આવ્યંતર પરિગ્રહ છે. આમ તો મૂર્છાથી આચ્છાદિત બુદ્ધિવાળાઓ માટે સમસ્ત જગત પરિગ્રહ છે. આ પરિગ્રહ આત્માને નરકમાં લઈ જાય છે.
૪. તીવ્ર ક્રોધ :
તીવ્ર ક્રોધ મનુષ્યને નરકગતિનું આયુષ્ય બંધાવે છે. તીવ્ર ક્રોધી જલદીથી રૌદ્રધ્યાનમાં પહોંચી જાય છે. રૌદ્રધ્યાનમાં નરકગતિનું જ આયુષ્યકર્મ બાંધે છે, એટલા માટે ક્રોધનું શમન અને દમન કરતા રહો. ક્યારેય ક્રોધની તીવ્રતામાં ચાલ્યા ન જાઓ.
૫. શીલરહિતતા :
શીલરહિતતા એટલે કે વ્યભિચાર. આ એક મોટું પાપ છે. નરકગતિનું આયુષ્ય બંધાવે છે. પરસ્ત્રી સમાગમ, પરપુરુષ સમાગમ શારીરિક દૃષ્ટિએ, સામાજિક દૃષ્ટિથી તો મોટું પાપ છે જ; પરંતુ પારલૌકિક દૃષ્ટિએ પણ એ નરકમાં લઈ જનારું છે. રાવણ નરકમાં ગયો ને ? જે કે તેણે શારીરિક દૃષ્ટિએ સીતાને સ્પર્શ કર્યો ન હતો, પરંતુ એનાં મન-વચન પતિત થઈ ગયાં હતાં. એના નિમિત્તે યુદ્ધ થયું. આર્તધ્યાન, રૌદ્રધ્યાન થયું, નરકગતિનું આયુષ્યકર્મ બંધાઈ ગયું.
લોકસ્વરૂપ ભાવના
७