SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ નષ્ટ થઈ જાય છે. જીવનદર્શન તો એવું હોવું જોઈએ કે જેમાં શાન્તિ, સંતોષ અને પ્રગતિ - ત્રણેનું સામંજસ્યપૂર્ણ સંતુલન હોય. આજે દેખીતી પ્રગતિ હશે, પરંતુ વાસ્તવિક શાન્તિ અને સંતોષનો પૂર્ણ અભાવ છે. આ યુગમાં ભૌતિક પ્રગતિ દ્વારા શાન્તિ પામવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ આ પ્રયત્ન સફળ નથી થતો. કારણ, શાન્તિ અંદરની ઊપજ છે; પ્રગતિ બહારનો પ્રયાસ છે. ભૌતિક પ્રગતિમાં અસંતોષ વધતો જાય છે. આ અસંતોષ વિકત થઈને અનેકાનેક પ્રકારની માનસિક વિકૃતિઓનું કારણ બની જાય છે. જીવનદર્શન સાચું હોવું જોઈએ. જો મનુષ્યની અંદર સત્ય, સંતોષ, પ્રેમ, સહયોગ, સહકાર, કરુણા, ઉદારતા જેવા ગુણો હોય તો માનસિક વિકૃતિઓ ઉત્પન થતી નથી. પ્રતિકૂળ પરિસ્થિતિઓ કદાચ મનને અનુકૂળ ન પણ હોય, તો સહિષ્ણુ બનીને એનો સામનો કરવો જોઈએ. આ સ્થિતિમાં માનસિક ગૂંચવણોમાંથી છુટકારો મેળવી શકાય છે. એક ચિત્રકારનાં ત્રણ ચિત્રોઃ ગ્રંથકારે પ્રથમ શ્લોકમાં જે વાત મનની વ્યસ્તતા અને વ્યાકુળતા અંગે કહી છે એ વાતને એક ચિત્રકારે ત્રણ ચિત્રોમાં બતાવી છે - એક માણસ વિચારમાં પડ્યો હતો. . બીજો હાથ મસળી રહ્યો હતો. ત્રીજો માથું ધુણાવી રહ્યો હતો. પૂછવામાં આવ્યું તો ચિત્રકારે બતાવ્યું કે ત્રણે ચિત્રો એક જ માણસની ત્રણ સ્થિતિઓનાં ચિત્રો છે. વિવાહ પહેલાં એ કલ્પનાલોકમાં ઊડે છે અને ક્યાંથી સુંદર પત્ની હાથ આવે, ક્યાંથી સારી સુવિધાપૂર્ણ બંગલો મળે, એ વિચારમાં બેસી રહ્યો. છે. બીજું ચિત્ર વિવાહિતનું છે. ગૃહસ્થ જીવનમાં જે જવાબદારીઓ આવે છે.... ખાવાપીવા. કપડાંલત્તાં, ઘરેણાં, સંતતિ ઈત્યાદિની ચિંતા અને જે સમસ્યાઓનું સમાધાન કરવું પડે છે એ જંજાળને જોઈને એ હાથ ઘસે છે કે શા માટે આવી જંજાળઝંઝટ વહોરી લીધી?” ત્રીજુંચિત્રએ સ્થિતિનું છે કે જેમાં સર્વનો વિયોગ અને વિરોધ ત્રાસ આપે છે. સંતાનો દુખ આપે છે, ત્યારે આદમી માથું કૂટે છે અને વિચાર કરે છે કે મારાં ભાગ્ય એવાં ફૂટેલાં છે કે મેં મારા જ હાથે પોતાના પગ ઉપર કુહાડી મારી - 'કાશ ! જીવનને સાચી દિશા મળી હોત.' છે ને સાચી વાત? તમારાં જ આ ત્રણે ચિત્રો છે ને? જરા ગંભીરતાથી વિચારો અને જીવનદર્શન કરીને સાચા માર્ગે ચાલો. તમારા લોકોનું આવું અશાંત અને વ્યાકુળ જીવન જોઈને જ્ઞાની પુરુષોના હૃદયમાં કરુણા ઊભરાઈ આવે છે અને તમને શાન્તસુધારસઃ ભાગ ૩| ૨૦૨
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy