________________
प्रथममशनपानप्राप्तिवांछाविहस्तास्तदनु वसनवेश्माऽलंकृतिव्यग्रचित्ताः । परिणयनमपत्याऽवाप्तिमिष्टेन्द्रियाऽर्थान, सततमभिलषन्तः स्वस्थतां क्वाऽश्नुवीरन् ? ॥ १ ॥
આ જગતનાં પ્રાણી ખાવાપીવામાં, કપડાં, ઘર, ઘરેણાં વગેરે માટે વ્યગ્ર રહે છે. લગ્નાદિ, મનપસંદ સુખભોગ વગેરેમાં વ્યાકુળ અને વ્યસ્ત રહેનારાઓનાં મન સ્થિર પણ કેવી રીતે થઈ શકે? મન સ્થિરતા કેમ નથી?
મૂર્ધન્ય મનીષી એરિક ફ્રોમે પોતાના પુસ્તક ધ સેન સોસાયટીમાં વધતા જતા માનસિક વ્યાધિનું મુખ્ય કારણ ભૌતિકવાદને બતાવ્યું છે. ગ્રંથકારે પણ આ જ વાત કરી છે. ભૌતિક સુખ-સાધનો એકઠાં કરવામાં અને ભૌતિક સુખોપભોગમાં વ્યગ્ર મનુષ્ય વ્યસ્ત અને વ્યાકુળ જ રહેવાનો. દરેક મનુષ્ય, દરેક સમાજ ભૌતિકતામાં પ્રતિસ્પર્ધી બની ગયો છે. દરેક વ્યક્તિ એકબીજાની સ્પર્ધા જ કરી રહી છે. ગરીબ અમીરનો સ્વાંગ ધારણ કરે છે અને નાનો માણસ મોટા જેવું સન્માન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. ઇચ્છા માત્ર આકાંક્ષા ન રહેતાં મહત્ત્વાકાંક્ષા બની બેઠી છે. આ બાબત ભયાનક છે. કરુણાજનક છે.
મનુષ્યમાં ઈચ્છા તો રહે જ છે, પરંતુ કોઈક કારણને લીધે સાફલ્ય ન મળે તો તેને સામાન્ય રૂપે જ લેવું જોઈએ. પરંતુ મહત્ત્વાકાંક્ષી માણસ અસફળ રહે છે, તો અસફળતા એને હલાવી દે છે. એનું મન વિકૃતિઓથી ભરાઈ જાય છે અને અહીંથી એની માનસિક પરેશાની શરૂ થાય છે.
શરીરમાં અનેક પ્રકારનાં વિષાણુઓ પ્રવેશ કરે છે અને વિવિધ લક્ષણોવાળા રોગ ઉત્પન્ન કરે છે. એ રીતે મનોભૂમિમાં પણ કેટલાય પ્રકારના વિકારો પ્રવેશ કરે છે અને પોતાનાં મૂળ નાખે છે. પરિપૂર્ણ ઉન્માદ નહીં પરંતુ એને મળતા એટલા જ ભયાનક રોગ ઉત્પન્ન કરે છે. કેટલીય વિકત મનઃસ્થિતિઓ એવી છે કે જે બુદ્ધિ અને વિવેકને અવ્યવસ્થિત કરી દે છે અને જ્યારે જે કોઈ ધૂન સવાર થઈ જાય છે એમાં જ ચિત્ત એટલી જ તીવ્ર ગતિથી ગતિમાન થઈ જાય છે. પોતાની જાતને કાબૂમાં રાખવી મુશ્કેલ થઈ જાય છે. જીવનદર્શન પણ ત્રુટિપૂર્ણ છે?
માનસિક વિકતિનું વાસ્તવિક કારણ જીવનદર્શનમાં રહેલું છે. આજનું જીવન જ ત્રુટિપૂર્ણ છે. મનુષ્યજીવન માનસિક વિક્ષેપોની ભ્રમ-જંજાળમાં પડીને એક રીતે તો,
કરુણા ભાવના