SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્યું, પરંતુ તેમણે જોયું કે કવિ જરા પણ વ્યથિત-દુઃખી ન હતા. એમના મુખ પર આનંદદેખાતો હતો. એક મિત્રે પૂછ્યું- “અરે મારા મિત્ર! તું આ દુર્ઘટનાથી પ્રસન્ન દેખાય છે.” ટેલર હસ્યા, શાન્તિથી જવાબ આપ્યો: જે કંઈ મૂલ્યવાન હતું તે ચોર લઈ ગયા. જે મૂલ્યવાન ન હતું તે પણ ચોર લઈ ગયા. પરંતુ જે સાચું - સાચે જ મૂલ્યવાન હતું, તે તો અહીં રહી ગયું, પછી શા માટે દુઃખી થવું જોઈએ? વાસ્તવમાં હું આજે ફાલતું ભારથી મુક્ત થયો. મિત્રને કશું સમજાયું નહીં. તેણે કહ્યું “તું શું કહેવા માગે છે?” – “આ શરીર, પ્રતિભા, શક્તિ, મન અને મારો આત્મા ! આ બધું સલામત અને સુરક્ષિત છે. શેષ જે નિરર્થક હતું, તે ચાલ્યું ગયું! વાસ્તવમાં મારે ચોરો પ્રત્યે આભાર માનવો જોઈએ. એમણે મારો નિરર્થક બોજો ઓછો કરી દીધો.” પોતાની ખુશી વહેંચતા ચાલોઃ વાત છે જ્ઞાનવૃષ્ટિની. દુખમાં સુખ જોવું, વિરૂપતામાં રૂપ જેવું, યાતનામાં સમતાનો અનુભવ કરવો ! જ્ઞાનવૃષ્ટિ નહીં હોય તો પ્રમોદભાવની જગાએ ઈષ્ય, અરુચિ, અસંતોષ, ક્રોધ, શંકા સ્થાન લેશે. મનુષ્ય દુઃખી થઈ જશે. યાદ કરો, મનની અંદર કોઈને માટે ધિકકાર યા તિરસ્કાર રાખવાથી યા તો કોઈની સતત નિંદ્ય કરવાથી તમે અમૃતનો આસ્વાદ મેળવ્યો છે ખરો? અરે, આ ધિકકારાદિ બધાં ઝેર છે. ઝેરનાં પારખાં ન કરો. ભલે તમે કોઈને ધિકકારો, તેને તો ખબર નથી હોતી, તે તો પોતાના માર્ગે આગળ વધતો જાય છે, તમે ઈર્ષ્યા કરતા રહો, તો તમારી પ્રગતિ અટકી જશે. પેલો તો સતત કાર્યરત રહેતો પ્રગતિના માર્ગ પર સફળતા પ્રાપ્ત કરતો જાય છે. જ્યારે ઈષ્ય કરનાર નિષ્ફળતા પ્રાપ્ત કરતો જાય છે. આપણે કોઈ પણ વ્યક્તિની સાચી પ્રશંસા નથી કરતા તો તે આપણી પામરતાકાયરતા છે. અલબત્ત, પ્રશંસા સાચી હોવી જોઈએ. ખુશામત કરવા નથી કહેતો. પરંતુ પ્રશંસાથી અનુમોદનાના બે પ્રિય શબ્દોથી બીજાંના મન પ્રસન્ન કરવાથી તમારી અશાંતિ દૂર થશે. તમારી ખુશી બીજાંમાં વહેંચતાં ચાલો તમારું જીવન ધન્ય બની જશે. પરંતુ આ ક્યારે સંભવ છે? તમારા દિલમાં ભરપૂર પ્રેમ હોય, સ્નેહ અને સહાનુભૂતિ હોય. તમે પ્રયોગ કરીને જોજો. તમારા પ્રેમનો, નિરપેક્ષ પ્રેમનો શો પ્રતિભાવ મળે છે! મારી વાત પણ કહી દઉં? મારા મનની વાત કરું છું. બીજી વ્યક્તિ માટે કોઈ વાર ખરાબ અભિપ્રાય મનમાં સતત રહેવાથી મારું મન ચેન અનુભવતું નથી. મને લાગે છે કે મારામાં કોઈક એવું [ પ્રમોદ ભાવના આ ૧૮૫]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy