________________
લખ્યો છે.”
મહારાજા મૈસુર આવ્યા બાદ ડૉ. રામશાસ્ત્રીને મળ્યા અને ગૌરવથી કહ્યુંઃ ડૉ. રામશાસ્ત્રી! મારા મિત્ર! અહીં મૈસુરમાં તમે મારા પ્રજાજન છો, પરંતુ જર્મનીમાં હું તમારો પ્રજાજન છું અને તમે મારા રાજા છો ! ત્યાં તમારી પ્રશંસા સાંભળીને હું હર્ષથી ગદ્ગદિત બન્યો હતો.'
મહારાજાની નમ્રતા કેવી હશે? પોતાના જ પ્રજાજનની પ્રશંસા સાંભળીને હર્ષિત થવું એ સામાન્ય વાત નથી. શું તમે તમારા ઘરના નોકરની પ્રશંસા, તમારા ભાઈની પ્રશંસા, પોતાની પુત્રવધૂની પ્રશંસા સાંભળીને હષવિત થયા છો? કદી તમારું મુખ પુષ્પની જેમ ખીલ્યું છે? ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે. પરદેશમાં પોતાની પ્રશંસા ન થઈ. પોતાના રાજ્યના એક વિદ્વાનની પ્રશંસા સાંભળી, તો પણ મહારાજા હર્ષવિભોર થઈ ગયા! કેટલો મોટો ગુણ ! કેવો ઉત્તમ પ્રમોદભાવ! એક રાજાનો ગુણપક્ષપાતઃ
જો માણસ ગુણોને મહત્ત્વ આપતો હશે તો તે બાહ્ય દેખાવોને ગૌણ કરે છે. કુરૂપતાને એ મહત્ત્વ નથી આપતો. એ સમજે છે કે કુરૂપ વ્યક્તિમાં - બેડોળ મનુષ્યમાં પણ મહાન ગુણ હોઈ શકે છે. વૈદિક પરંપરામાં અષ્ટાવક્રજીનું દ્રષ્ટાંત આ વિષયમાં પ્રસિદ્ધ છે. પરંતુ આજે અહીં હું એક રાજાની વાત કરીશ. એક કોષાધ્યક્ષની નિયુક્તિ કરવાની હતી. એક વ્યક્તિ કોષાધ્યક્ષ પદ માટે ઉપસ્થિત થયો હતો. રાજાએ પોતાના વૃદ્ધ અને વિશ્વાસુ મંત્રીને કહ્યું: “આ વ્યક્તિ કોષાધ્યક્ષ પદ માટે સંપૂર્ણ રૂપે સુયોગ્ય લાગે છે. મંત્રીએ કહ્યું હા મહારાજ, મારા મતે પણ તે યોગ્ય છે. રાજાએ કહ્યું પણ આ ખૂબ કુરૂપ છે. કોઈ પણ મનુષ્ય એને બીજી વાર જોવાની ઈચ્છા કરશે નહીં.'
વૃદ્ધ મંત્રીએ પોતાના યુવાન રાજાને હસતાં હસતાં કહ્યું “આપણે શા માટે એના કુરૂપ મુખની અને બેડોળ શરીરની પરવા કરવી જોઈએ?” રાજાએ કહ્યું: “પરંતુ દરરોજ બે વાર એને મારી પાસે દરબારમાં તો આવવું પડશે? ઠીક છે, આજે નહીં આપણે કાલે એની નિયુક્તિની બાબતમાં વિચાર કરીશું.”
બીજે દિવસે રાજા અને મંત્રી મળ્યા. મંત્રીએ નોકરને સોનાની સુરાહીમાં પાણી લાવવા કહ્યું. એ પાણી ગરમ હતું. રાજાએ કહ્યું: “આ પાણી ગરમ છે, પીવા યોગ્ય નથી. મંત્રીએ નોકરને કહ્યું: “ચાંદીની સુરાહીમાંથી પાણી લાવો.' નોકર પાણી લાવ્યો. રાજાએ પાણી મોઢે અડાડ્યું અને બોલ્યો “આ પાણી પણ ગરમ છે, ઠંડું પાણી લાવો.” | ૧૮૨
શાન્તસુધારસઃ ભાગ ૩]