________________
दानं शीलं तपो ये विदधति, गृहिणो भावनां भावयन्ति, धर्मधन्याश्चतुर्धा श्रुतसमुपचित श्रद्धयाराधयन्ति । साध्व्यः श्राद्धयश्चधन्याः श्रुतविशदधियाशीलमुद्भावयन्त्यस्तान्सर्वान्मुक्तगर्वाः प्रतिदिनमसकृद् भाग्यभाजः स्तुवन्ति ॥ ४ ॥ ‘જે ગૃહસ્થ લોકો દાન કરે છે, શીલનું પાલન કરે છે, સુંદર ભાવનાઓથી ભાવિત રહે છે, જ્ઞાનયુક્ત શ્રદ્ધાપૂર્વક ચારે પ્રકારના ધર્મની આરાધના કરે છે, તે ધન્ય છે. સાધ્વીજી અને શ્રાવિકાઓ કે જે નિર્મળ જ્ઞાનયુક્ત શીલની શોભા ધારણ કરે છે, એમને પણ ધન્ય છે. ભાગ્યશાળી વ્યક્તિ પ્રતિદિન આ બધાંની સ્તવના વિનમ્ર થઈને કરે છે.’ દાન આપનારાઓ પ્રત્યે પ્રમોદભાવ :
હવે ગ્રંથકાર ગૃહસ્થવર્ગના વિષયમાં પ્રમોદ ભાવનાની વાત બતાવે છે. જે દુનિયામાં, જે નગરમાં, જે સમાજમાં તમે રહો છો; ત્યાં કોઈ દાન આપે છે, કોઈ શીલ પાલન કરે છે, કોઈ તપ કરે છે, તો કોઈ શુભ પવિત્ર ભાવના ભાવે છે. તમે એમના પ્રત્યે સદ્ભાવવાળા બનો, એમના પ્રશંસક બનો. એમના ગુણોનો અનુવાદ કરો. એમની પ્રશંસા સાંભળીને પ્રસન્નચિત્ત બનો. એમના દોષ ન જુઓ.
એક વાત અવશ્ય યાદ રાખો કે સંસારમાં કોઈ જીવાત્મા સર્વગુણસંપન્ન નથી હોતો. તમે પોતે જ સર્વગુણસંપન્ન નથી અને હું પણ સર્વગુણસંપન્ન નથી. ગુણવાનોના ગુણ જોઈને, પુણ્યશાળીનું સુખ જોઈને રાજી થવાનું છે, પ્રસન્ન થવાનું
H•
હવે સૌથી પ્રથમ હું તમને કેટલાક મહાન દાનેશ્વરી મહાપુરુષોનાં દૃષ્ટાંત બતાવું છું. પ્રાચીન કાળમાં કેવા મહાન દાનેશ્વરી થઈ ગયા એ જાણીને તમારા મનમાં અહોભાવ જાગશે અને દાન કરવાની તમને પણ ભવ્ય પ્રેરણા મળશે. સમ્રાટ સંપ્રતિ :
વીર સંવત ૨૭૫માં સંપ્રતિ રાજાનો જન્મ થયો હતો. એ મહાન અશોકના પુત્ર કુણાલનો પુત્ર હતો. સંપ્રતિને અવન્તી દેશનું રાજ્ય મળ્યું હતું.
એક દિવસે શોભાયાત્રામાં એણે આચાર્યશ્રી સુહસ્તિસૂરિજીને જોયા. પૂર્વજન્મ યાદ આવી ગયો. પૂર્વજન્મના આચાર્યનો ઉપકાર યાદ આવી ગયો. મહેલમાંથી નીચે ઊતરીને આચાર્યદેવના ચરણોમાં વંદન કરીને બોલ્યો ઃ ‘ગુરુદેવ ! મને ઓળખ્યો ? હું આપનો શિષ્ય હતો... હું ભિક્ષુક હતો. મને દીક્ષા આપીને ભરપેટ ખવડાવ્યું હતું. અંતિમ આરાધના કરાવી હતી. હું આ જન્મમાં રાજા બન્યો છું.
પ્રમોદ ભાવના
૧૬૭