________________
ગુરુદેવ! આપની કૃપાનું જ આ ફળ છે. હું આપને મારું રાજ્ય સમર્પિત કરું છું.'
ગુરુદેવે કહ્યું “રાજનું! આ તારો મહાન કૃતજ્ઞતાનો ગુણ છે. પરંતુ અમે સાધુ છીએ. અમે રાજ્ય લઈ ન શકીએ. રાજ્ય તો તારે જ કરવાનું છે, પરંતુ જે સુકૃત કરવાનું છે તેનો તને ઉપદેશ આપું છું. તારે એ પ્રકારે સુકૃત કરવાં.' | સંપ્રતિ રાજાએ ૧૨ વ્રત સમ્યક્ત સહિત સ્વીકાય.
સવા લાખ જિનમંદિરો બંધાવ્યાં.
સવા કરોડ જિનપ્રતિમાઓ બનાવડાવી. I ૩૬ હજાર પ્રાચીન જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. 1 900 દાનશાળાઓ બંધાવી - “મારા રાજ્યમાં કોઈ જીવ ભૂખ્યો ન રહેવો
જોઈએ એ ભાવનાથી દાનશાળાઓ ચલાવી અને અનેક સૂકત્યો કરીને જીવન :
સફળ બનાવ્યું. રાજા કુમારપાળ
વિ. સં. ૧૧૯૯થી ૧૨૨૯ સુધી ગુજરાતમાં મહારાજા કુમારપાળનો રાજ્યકાળ રહ્યો. પિતા હતા ત્રિભુવનપાળ અને માતા હતી કાશ્મીરાદેવી. કુમારપાળનો જન્મ ૧૧૫૦માં થયો હતો. આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજીએ રાજા સિદ્ધરાજ અને રાજા કુમારપાળને પ્રતિબોધ આપીને તેમણે જૈનધર્મનો અપૂર્વ પ્રસાર કર્યો હતો. એમની ઉપર જેમના જેમના ઉપકાર હતા. તે સૌને યાદ કરીને પ્રતિ-ઉપકાર કર્યો હતો. ઉદયન અને આલિંગનેમહામંત્રીપદ આપ્યાં હતાં. સજ્જન શ્રીમાળીને માલવદેશનોદડનાયક બનાવ્યો હતો. વીસરી બ્રાહ્મણને લાટદેશ અને મહીનદીનો મધ્ય ભાગ આપ્યો હતો. આલિગ કુંભારને ૭૦૦ગામો સાથે ચિત્તોડ આપ્યું હતું. આ રીતે તેમણે ઉપકારનો બદલો ચૂકવ્યો હતો. અન્યવિશેષ ગુણ પણ સાંભળી લોI કચ્છ-ભદ્રાવતીમાં એક મોટું તળાવ બંધાવ્યું. - બાપડ મંત્રીને આજ્ઞા કરીને શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. વિ. સં. ૧૨૧૩માં
આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના પાવન કરકમળ દ્વારા પ્રતિષ્ઠા કરાવી. એક કરોડ સાઠ લાખ રૂપિયાનો વ્યય કર્યો. દિન-અનાથ શ્રાવકોને ૧૪ વર્ષમાં ૧૪ કરોડ સ્વર્ણમુદ્રાઓનું દાન આપ્યું. v ૯૮ લાખ સ્વર્ણમુદ્રાઓથી સાધર્મિક ભક્તિ કરી. - સાધર્મિકોનો ૭૨ લાખ રૂપિયાનો કર માફ કર્યો. : ૧૬૦૦ જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
[૬૮
] . .
.
શાન્તસુધારસઃ ભાગ ૩]