________________
મળતી; છતાં પણ ‘કુશલદીપ' ગુરુના શિષ્ય દેવે એક કાવ્ય લખ્યું છે. સરસ છે, ધ્યાનથી સાંભળો -
પરહિત ચિંતાથી વધે મૈત્રીભાવ વિશાળ, તત્ત્વવિચારે સુજ્ઞજન આગમ અર્થ રસાલ વસ્તુ સ્વરૂપ વિચારતાં, શત્રુ ન કો જગમાંય, રાગ-દ્વેષ-પરિણામથી ચેતન ગોથાં ખાય.
મૈત્રી ભાવના તેરમી રે, ભાવીએ હૃદય મઝાર રે, જગત કુટુંબ કરી લેખવો રે, વૈર ન ધરીએ લગાર રે... મૈત્રી. ગુણ વિવેક વધારીએ રે, દ્વેષ તજી ગુણધાર, ક્ષીરનીરના ભેદથી રે, હંસનો ગુણ મનોહર રે... મૈત્રી, સર્વ જગતના જંતુઓ રે, માત તાત ને બાત રે, નારી, સુત, ભગિનીપણે રે, વાર અનંતી વિખ્યાત રે... મૈત્રી. કુણ વેરી કુષ્ણ બાંધવા રે, સંબંધી સર્વ સમાન, આર્ત-રૌદ્ર નિવારીએ રે, ભાવો ન ક્લેશ-નિદાન રે... મૈત્રી. કર્મવશે બહુ પ્રાણીઓ રે, શત્રુ-મિત્રપણે થાય રે, રાગ-દ્વેષને ન પોષીએ રે, સમરસ ગુણ સુખદાય ... મૈત્રી. જિનવચનામૃત પાનથી રે, કરીએ કુમત વિનાશ હૈ, કુશલદીપ-ગુરુબોધથી હૈ, દેવહૃદય સુપ્રકાશ રે... મૈત્રી, કાવ્યનો અર્થ સમજી લો !
પરહિત ચિંતનરૂપ મૈત્રીથી મૈત્રીભાવ વિશાળ-વ્યાપક થાય છે. એટલા માટે સુજ્ઞ પુરુષે આગમાનુસારી તત્ત્વ (મૈત્રી)નો વિચાર કરવો જોઈએ.
જો વસ્તુસ્વરૂપનો વિચાર કરવામાં આવે તો વિશ્વમાં કોઈ પણ જીવ શત્રુ નથી, આ તો રાગદ્વેષના દુષ્ટ પરિણામથી આત્મા ભૂલ કરે છે.
મૈત્રી ભાવનાને હૃદયમાં સ્થાન આપો, સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માનો. કોઈની સાથે શત્રુતા-વેર ન રાખો.
બીજાંના દોષ ન જુઓ, ગુણ જુઓ. આ વિવેક બતાવવાનો છે. જે રીતે હંસ ક્ષીરનીર વિવેક કરે છે, એ રીતે ગુણદોષનો વિવેક રાખો.
સંસારમાં સર્વ જીવો સાથે અનંતવાર માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર, પત્નીનો સંબંધ કર્યો છે.
# પછી કોણ શત્રુ ? કોણ ભાઈ? સર્વ જીવો આપણા સંબંધી છે. આર્તધ્યાન અને
૧૫૦
શાન્તસુધારસ : ભાગ ૩