________________
કષાયોને પ્રશમિત કરે.
હાસ્ય-રતિ-અરતિ અને શોકમાં સ્વસ્થ રહે.
જે ભય અને નિંદાથી પરાશ્તિ ન થાય.
આવા વિશુદ્ધ આત્માને પરમ સુખ પ્રાપ્ત થાય છે. એં સદૈવ આનંદિત રહે છે - પ્રમુદિત રહે છે અને જગતને પણ એ આનંદ અને પ્રમોદ આપે છે. પ્રસન્નતા અને આહ્લાદ આપે છે.
એક રાજાના ત્રણ રાજકુમારો
:
મૈત્રીભાવમાં પરહિતની ચિંતા તો કરવાની જ છે. શત્રુ પ્રત્યે પણ મૈત્રી ભાવના ટકાવી રાખવાની છે. આ બાબતમાં એક વાર્તા સંભળાવું.
એક બાદશાહ હતો. એને ત્રણ પુત્રો હતા. ત્રણે યોગ્ય અને આજ્ઞાધારી હતા. વૃદ્ધાવસ્થા આવતાં બાદશાહે મોટા પુત્રને રાજ્ય સોંપી દીધું, પરંતુ ખૂબ વિચાર કરીને એક અતિ મૂલ્યવાન મોતી પોતાની પાસે રાખી લીધું. એ મોતીની કીમત એટલી વધારે હતી કે એના બદલામાં રાજ્યો ખરીદી શકાતાં હતાં. મનોમન એણે નિશ્ચય કરી લીધો કે - આ મોતી મારા એ પુત્રને આપીશ કે જે સૌથી વધારે નેકદિલ હોય, જેના વિચારો મહાન હોય.
સમયે સમયે તે પોતાના પુત્રોની પરીક્ષા લેતા રહેતા હતા. હજુ સુધી એ પૂરી રીતે સંતુષ્ટ થયા ન હતા. મોટો શાહજાદો રાજકાજમાં પૂર્ણતયા નિપુણ હતો. બંને ભાઈઓ એને મદદ કરતા હતા. પ્રજા પહેલાં કરતાં પણ વધારે સુખી હતી. કોઈ પણ વ્યક્તિને અન્યાય ન થાય એનું એ સ્વયં ધ્યાન રાખતા હતા.
પરંતુ હવે બાદશાહની ઇચ્છા હતી કે બધું બરાબર ચાલતું રહે તો એ વધારે ને વધારે સમય ખુદાની બંદગીમાં ગુજારી શકે, પરંતુ મોતીની ચિંતા એમાં સૌથી મોટું વિઘ્ન હતું. એક દિવસ સૂતાં સૂતાં એ વિચાર કરી રહ્યા હતા. અચાનક એમના ચહેરા ઉપર સ્મિત ઊપસી આવ્યું.
કંઈક વિચારતાં તેમણે પોતાના મોટા દીકરાને સવાલ કર્યો : ‘બેટા, હું જાણવા ઇચ્છું છું કે પાછલા ત્રણ મહિનામાં તેં સૌથી મોટું કામ કર્યું કર્યું?” થોડીક વાર વિચાર કરીને તેણે જવાબ આપ્યો - પાછળના મહિને જ્યારે હું બીજા શહેરમાં જતો હતો તો એક ઓળખીતાએ હીરાની થેલી આપીને મને કહ્યું કે એ થેલી. એના નાના ભાઈને આપી દેવી. ખરું કહું છું – મારા મનમાં જરા પણ લાલચ ન થઈ અને એ થેલી મેં એના નાના ભાઈને આપી દીધી. હું સમજું છું કે એનાથી સૌને ખુશી થઈ હશે. એ દિવસે મને પણ ખુશી થઈ હતી. હું વિચારું છું - લાલચમાં ન પડવું એમાં માનવતાની મહાનતા છે અને મેં એ કાર્ય ઇમાનદારીથી કર્યું.
૧૪૮
શાન્તસુધારસ : ભાગ ૩