________________
स्वाधीनं स्वं परित्यज्य विषमं दोषमंदिरम् ।। મવાથી પર મૂઢ ! સમીવાનું વિમા | ૨૦ | હેમૂઢ! તું સ્વયં દોષોનું ઘર છે અને સમભાવ વગરનો છે. તારી જાતને સુધારવી તારા હાથમાં છે, છતાં પણ ન સુધરતાં, બીજાંને સમભાવવાળા બનાવવાનો શા માટે આગ્રહ કરે છે? કે જે તારા વશમાં નથી.
वृक्षस्यच्छेदमानस्य भूष्यमाणस्य वाजिनः । यथा न रोषस्तोषश्च भवेद् योगी समस्तथा ॥ २१ ॥ જેવી રીતે વૃક્ષ કપાય છે, તો પણ રોષ નથી કરતું અને ઘોડાને સજાવતાં ઘોડો રાગ નથી કરતો - એ રીતે સુખદુઃખમાં યોગીએ સમતાભાવમાં રહેવું જોઈએ.
सर्वभूताविनाभूतं स्वं पश्यन् सर्वदा मुनिः ।
मैत्र्यादि-अमृतसंमग्नः क्व क्लेशांशमपिस्पृशेत् ॥ २४ ॥ મૈત્રી વગેરે ભાવનારૂપ અમૃતરસમાં પૂર્ણમગ્ન અને પોતાને સર્વ જીવોથી અભિન્ન દેખતા મુનિને ક્લેશનો અંશ પણ સ્પર્શતો નથી.
अज्ञानाद् बालकोवेत्ति, शत्रुमित्रादिकं यथा । તથા વેષ્ટતે રાની દિલ પર સુહમ્ . રહે છે જેમ અજ્ઞાનને કારણે બાળક શત્રુ મિત્ર વગેરેને શત્રુ મિત્રરૂપ નથી જાણતું, એ રીતે જ્ઞાની-સજ્જન પુરુષ પણ શત્રુ-મિત્રને સમાનરૂપે જાણે છે. એટલે જ્ઞાની પુરુષ આ લોકમાં પરમ સુખ પામે છે.
પરંતુ આ સમત્વભાવ, શાન્તભાવ, પ્રશમભાવ ત્યારે જ આવે છે, જ્યારે મનુષ્ય સંગરહિત, મમતારહિત, શાન્ત અને ઈચ્છામુક્ત થાય છે - સંયમમાં લીન થાય છે. “શાણ્યશતકમાં સમતાનો ઉપદેશઃ
શામ્યશતક આચાર્યશ્રી વિજયસિંહસૂરિજીની દિવ્ય રચના છે. એમાંથી કેટલાક શ્લોકો અને અર્થ સંભળાવું છું. ધ્યાનથી સાંભળજો -
सूते सुमनसां कंचिदामोदं समतालता । यदशादाप्नुयुः सख्यसौरभं नित्यवैरिणा ॥ ९४ ॥ સમતા એક લતા છે. એમાં કોઈ અભુત-અપૂર્વ સુગંધ ઉત્પન્ન થાય છે. એ સુગંધના પ્રભાવથી હંમેશાં વેરભાવ-શત્રુભાવ રાખનારા જીવ પણ મૈત્રીની સુવાસ પામે છે. એમનો વેરભાવ ચાલ્યો જાય છે.
[૧૪s |
૧૪૬
| શાન્તસુધારસ : ભાગ ૩]
શાન્ત સુધારસ: ભાગ ૩