________________
આ કાળના પ્રભાવથી લોકો પ્રાયઃ સદાચાર રહિત હોય છે. તેથી સંસારની સ્થિતિનો વિચાર કરીને તે લોકો પ્રત્યે દ્વેષ ન કરવો જોઈએ.
આ “અવસર્પિણી કાળ છે, એમાં પણ પાંચમો આરો છે. આ સમયે આ ભરતક્ષેત્રમાં કોઈ વીતરાગ કેવળજ્ઞાની નથી કે નથી કોઈ મન:પર્યવજ્ઞાની યા. અવધિજ્ઞાની. ન તો મનુષ્યનું શ્રેષ્ઠ સંઘયણ બળ છે, ન ઉચ્ચતમ માનસિક શુદ્ધ અવસ્થા છે. આવી સ્થિતિમાં વધારે પ્રમાણમાં લોકોને જિનવચનોમાં રૂચિ કેવી રીતે હશે? નહીં હોય! નહીંતર શાન્તરસમાં, પ્રશમરસમાં નિમગ્ન થવું હોય તો આજે. પણ માણસ થઈ શકે છે. મન-વચન-કાયાથી સમતા ધારણ કરો. યોગસારમાં કહેવામાં આવ્યું છેઃ साम्यं मानसभावेषु, साम्यं वचनवीचिषु । साम्यं कायिकचेष्टासु, साम्यं सर्वत्र सर्वदा ॥ १६ ॥ स्वापता जाग्रता रात्री दिवा चाखिलकर्मसु ।
कायेन वचसा वाचा साम्यं सेव्यं सुयोगिना ॥ १७ ॥ મન-વચન-કાયામાં સમતાઃ
ઉત્તમ યોગીએ મનના વિચારોમાં, વચનોના તરંગોમાં, કાયાની પ્રત્યેક પ્રવૃત્તિમાં પ્રત્યેક સ્થાન ઉપર પ્રતિક્ષણ જાગતાં યા સૂતાં, દિવસે યા રાત્રે - સર્વ કાયમાં મન-વચન-કાયાથી સમતાનું સેવન કરવું જોઈએ.
यदि त्वं साम्यसंतुष्टो, विश्वं तुष्टं तदा तव । तल्लोकस्यानुवृत्त्या किं स्वमेवेकं समं कुरु ॥ १८ ॥ જો તું સામ્યભાવમાં સંતુષ્ટ હોય તો તારે માટે આખું જગત સંતુષ્ટ છે, એટલે કે તારા પરિચયમાં આવનાર બધાં જ પ્રાયઃ સંતુષ્ટ થઈ જાય છે. એટલા માટે લોકોને ખુશ કરવાનું છોડી દે, તું જાતે જ સમભાવમાં લીન થઈ જા. શાન્તરસમાં નિમગ્ન થઈ જા. સમત્વની સાધના જ શ્રેષ્ઠ યોગસારમાં આગળ કહ્યું છે -
श्रुतश्रामण्यंयोगानां प्रपंचः साम्यहेतवे । तथापि तत्त्वतः तस्माज्जनोऽयं प्लवते बहिः ॥ १९ ॥ શાસ્ત્ર, સાધુતા અને યોગોનો વિસ્તાર સામ્યભાવના ઉત્કર્ષ માટે જ છે. છતાં પણ લોકો સમતાભાવના તત્ત્વથી બહાર સંસારમાં ઊછળકૂદ કરે છે.
|
મૈત્રી ભાવના
૧૪૫]