________________
ન હોય યા ગહન શાસ્ત્રજ્ઞાન ન હોય, ભલે તે ધ્યાન કરતો હોય યા ન કરતો હોય, તીવ્ર તપશ્ચર્યા ન કરતો હોય.
દોરી ઉપર ચડીને નૃત્ય કરનાર ઈલાચીકુમાર પાસે શું હતું ? શું સમ્યગ્દર્શન હતું ? શાસ્ત્રજ્ઞાન હતું ? તપશ્ચર્યા હતી ? ના. છતાં પણ તે ઉપશાન્ત બની ગયા અને તેમણે વીતરાગતા પ્રાપ્ત કરી.
‘મા રૂષ, મા તુષ’ આટલા થોડાક શબ્દો પણ યાદ ન રાખી શકનાર માષતુષ મુનિ પાસે કયું મોટું શાસ્ત્રજ્ઞાન હતું ? છતાં પણ એ પ્રશાન્તભાવની પૂર્ણતાને પામી
ગયા.
એક-એક વર્ષથી લગાતાર ધ્યાનસ્થ દશામાં ઊભા રહેલા બાહુબલીને ત્યાં સુધી કેવળજ્ઞાન ન થયું, જ્યાં સુધી માન કષાયે તેમનો પીછો ન છોડ્યો. એમનો આત્મા પૂર્ણરૂપે પ્રશાંત ન બન્યો.
॥ સંવત્સરી મહાપર્વના દિવસે નાનકડી પણ તપશ્ચર્યા ન કરી શકનાર ‘કૂરગડું’ મુનિ વીતરાગ સર્વજ્ઞ બની ગયા, જાણો છો કોના પ્રભાવે ? એ પ્રભાવ ઉપશમભાવનો જ હતો.
પ્રશમભાવની આરાધના એટલે કે ક્રોધ વગેરે કષાયોને ઉપશાન્ત કરવાની આરાધના. પ્રશમગુણની આરાધના એટલે કે વિષયજન્ય વાસનાઓને પ્રશાંત કરવાની આરાધના. આ આરાધના સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનાને વિશેષ ઉજ્વળ બનાવે છે. આ આરાધના ચિત્તની ચંચળતાને, ઉત્સુકતાને . નિર્મૂળ કરે છે. આત્મગુણોમાં રમમાણ રાખવા માટે અને અન્ય બાહ્ય ભાવોની રમણતાથી બચાવનારા આ પ્રશમગુણને અંતરતમથી નમન કરો. સમતારસનું પાન પરમાનંદ આપનાર હોવા છતાં પણ મનુષ્યને એ કેમ પસંદ આવતું નથી ? ગ્રંથકાર ઉપાધ્યાયજી આશ્ચર્ય વ્યક્ત કરતાં કહે છે ઃ કાળનો પ્રભાવ ઃ
किमुत कुमतमंदमूर्च्छिता दुरितेषु पतन्ति ।
जिनवचनानि कथं हहा ! न रसादुपयन्ति ॥ ७ ॥ विनय. સમજાતું નથી કે પ્રાણીઓ શા માટે ખોટી ધારણાઓ બાંધીને પાપકર્મોની ખાઈમાં કૂદી પડે છે ? એમને તીર્થંકર ભગવંતની વાણીમાં કેમ રુચિ પેદા થતી નથી ? આ સમસ્યાનું સમાધાન ‘યોગસાર’માં મળે છે ઃ असदाचारिणः प्रायो लोकाः कालानुभावतः । द्वेषस्तेषु न कर्तव्यं संविभाव्य भवस्थितिम् ॥ २८ ॥
(તૃતીય પ્રસ્તાવ)
૧૪૪
શાન્તસુધારસ : ભાગ ૩