________________
રહ્યા. ત્યાં આવતા-જતા લોકોએ તેમને ચાલ્યા જવા કહ્યું, પરંતુ તે ખસ્યા નહીં. એક કલાક પછી એ ડ્રાયવર એકલો પાછો આવ્યો. પોલીસવાળાઓને ગાળો બોલતો હતો.
લોહિયાજીએ કહ્યું: “દોસ્ત ! પોલીસને ગાળો ન દે. તારી ઇચ્છા મને સજા કરવાની હતી ને?”
“હા, ચોકકસ.' “તો પછી મને સજા કર, દોસ્ત ! હું દંડ ભરવા તૈયાર છું.’
અરે, તમે તો ભલા આદમી છો, સાચે જ તમે તો મારે માટે એક કલાક રાહ જોઈ, એ જ સજા થઈ ગઈ. મારા પ્રિય ભાઈ! મને તો કલ્પના જ નહતી કે તમે અહીં રોકાશો.”
લોહિયાએ ઇછ્યું હોત તો તે પોતાનો પરિચય આપીને એને ધમકાવી શક્યા હોત. એ પોતે પણ બે-ચાર ગાળો બોલી શકતા હતા, પરંતુ તેઓ વિદ્વાન હતા, સમજદાર હતા. તેમણે ગાળોની સામે મૌન ધારણ કર્યું.
ગ્રંથકાર ઉપાધ્યાયજી કહે છે - ભલા-સજ્જન લોકો માટે ક્લેશ કરવો, ઝઘડો કરવો સારું નથી લાગતું. સજ્જન લોકો તો સમતારસનાં નીરમાં રમનારાં મીન છે. ગુણોના સંસર્ગથી સમૃદ્ધ બનેલા તમે માનસરોવરના હંસની જેમ વિવેકબુદ્ધિવાળા બનો. સજજન રહોઃ
'ગ્રંથકાર ઉપાધ્યાયજી કહે છે તમે સજ્જન છો, સમારસમાં રહેનારામન છો. તમને કોઈ પણ પ્રકારનો ઝઘડો કરવો, શત્રુતા કરવી એ સારું નથી લાગતું. તમે ગુણસમૃદ્ધ છો. તમે માનસરોવરના હંસની જેમ વિવેકબુદ્ધિવાળા બનો.
અપ્રિય, અરુચિ અને અસંતુષ્ટ કરનારી પરિસ્થિતિઓ ન્યૂનાધિક માત્રામાં દરેકની સામે આવે છે. એનાથી કોઈ પણ પૂર્ણતયા સુરક્ષિત નથી રહી શકતું. પૂરી રીતે બચી શકતું નથી. પરંતુ એ વાત અવશ્ય છે કે જો સજ્જન પુરુષ ઈચ્છે તો એ વિપત્તિઓની પાછળ આવનાર ભયંકર અને વિનાશક આપત્તિની જંજાળોથી સહજ રીતે બચી શકે છે અને સહેલાઈથી એ આપત્તિની થોડાક સમયમાં જક્ષતિપૂર્તિ કરી શકે છે.
કઠણાઈ સામે લડવું અને એને પરાસ્ત કરી પોતાના પુરુષાર્થનો પરિચય કરાવવો એ મનોવૃત્તિ સજજન એવા વીર પુરુષોને શોભારૂપ છે.
સજ્જનોને કોઈનો ડર નથી હોતો. એમને તો પોતાનું ભવિષ્ય સદાય માટે સોનેરી દેખાય છે. મૈત્રીભાવના એમના મનમાં સદાય ઉત્સાહ અને આશાની જ્યોત મૈત્રી ભાવના છે.
૧૩૧]