________________
એક વાત સમજી લો - ક્રોધ કરવાથી, વેર બાંધવાથી, શત્રુતા કરવાથી નરકતિર્યંચ ગતિમાં જીવને જન્મ ધારણ કરવો પડે છે. અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. એટલા માટે કદી કોપના, ગુસ્સાના ગુલામ ન બનો. એક કવિએ કહ્યું
જો કોવારે કો દયે છે, આપણ પહેલી રે ગાળ, તે ઉપર ઉપશમ ધરી છે, વલતું વચન ન વાળ. પ્રાણી.
આણ રે ઉપશમ સાર! . વિરુઓ વૈરી શું કરે છે? મારે એક જ વાર, ક્રોધરૂપ રિપુ જીવને જી, દીયે અનંત સંસાર...રે પ્રાણી. ક્ષમા ખગ નહીં જે કરે છે, તે દુઃખિયા સંસાર.
ક્રોધ-મોધ શું સુઝતા. કિમ નવિ પામે પાર પ્રાણી. તમે આ કાવ્યનો અર્થ સમજ્યા ને? જ્યારે પણ આપણને કોઈ ગાળદે, એ સમયે એની ઉપર ઉપશમભાવ ધારણ કરી, એને ઉત્તર જ ન આપવો! મૌન રહેવું! શત્રુ વધારેમાં વધારે શું કરશે ? એક જ વાર મારી નાખશે ને? પરંતુ આ ક્રોધ-શત્રુ તો જીવને સંસારમાં અનેક વાર મારે છે, મોતને ઘાટ ઉતારે છે. એટલા માટે ક્ષમાની તલવાર જો પાસે નહીં રાખો તો સંસારમાં દુઃખી થઈ જશો. એટલા માટે ક્રોધરૂપી યોદ્ધાથી યુદ્ધ કરીને, એને પરાજિત કરીને ભવ પાર ઊતરી જાઓ.
મૈત્રીભાવને જીવંત રાખવા માટે મનને ઉપશાંત બનાવવું જ પડશે. ક્રોધ ઉપર વિજય પામવો જ પડશે. નહીંતર મૈત્રી ભાવના ખંડિત થવામાં વાર નહીં લાગે. શત્રુતા આત્માને અધોગતિમાં લઈ જશે. ડૉ. રામમનોહર લોહિયાઃ
ભારત સ્વતંત્ર થયું ત્યારથી લોહિયાજી પાલામેન્ટમાં સદસ્ય હતા. એઓ ખૂબ સારા પાલમેન્ટેરિયન ગણાતા હતા. જવાહરલાલ નેહરુના એ કટ્ટર વિરોધી હતા. એમના જીવનનો એક પ્રસંગ છે.
એ હાઈવે પર ગાડી ચલાવતા હતા અને આગળની ગાડી સાથે એક્સીડન્ટ થઈ ગયો. એ ગાડીનો ડ્રાયવર બહાર આવ્યો અને ક્રોધમાં બોલ્યોઃ “અરે મૂર્ખ! અંધ! તારી ગાડીની આગળ કોઈ છે, તને દેખાતું નથી? જાણે જંગલી કૂતરો પાછળ પડ્યો. હોય એમ તું ગાડી ચલાવી રહ્યો છે. દુષ્ટ... જડબુદ્ધિ...' એ ટ્રક ડ્રાયવર હતો. એ લોહિયાજીને ગાળો બોલતો હતો. ડૉ. લોહિયાએ ક્ષમા માગી, છતાં પણ તેનો રોષ ઓછો ન થયો. એ જોરજોરથી બૂમો પાડવા લાગ્યો અને તેણે કહ્યું હું પોલીસ બોલાવી લાવું છું તે અહીં જ રહેજે, અહીંથી ખસતો નહીં.'
તે ડ્રાયવર પોલીસ બોલાવવા ગયો. લોહિયા એની રાહ જોતા ત્યાં જ ઊભા [૧૩૦
શાન્તસુધારસ ભાગ ૩
૧૩૦
શાસ્તસુધારસ : ભાગ ૩