________________
બોલતો જગયો... તે થાકી ગયો અને ચાલ્યો ગયો. બુદ્ધતો મૌન રહ્યા-ધ્યાનસ્થ રહ્યા. પાછળથી જ્યારે એ મનુષ્યનો આવેશ ઊતરી ગયો ત્યારે ક્ષમા માગવા બુદ્ધની પાસે આવ્યો. તેણે બુદ્ધને કહ્યું : “મને ક્ષમા આપો... મેં મોટી ભૂલ કરી છે.’
‘મહાનુભાવ ! મેં તારી ગાળો ગ્રહણ જ કરી ન હતી, પછી ક્ષમા કઈ વાતની ? હું તો મારા ધ્યાનમાં લીન હતો.’
‘હું ક્ષમા નહીં આપું.’ બુદ્ધે કહ્યું. હું આપને પગે પડું છું, મને ક્ષમા આપો.'
‘હું તને ક્ષમા નહીં આપું.' બુદ્ધ શાન્તિથી બોલ્યા.
‘આપ તો ક્ષમાના સાગર છો. કૃપા કરો... ક્ષમા આપો.’ તે ઘણું કરગર્યો.
ભલે કોઈ ગુસ્સો કરે, પરંતુ તમે ગ્રહણ ન કરો.
ભલે કોઈ અપમાન કરે, તમે ગ્રહણ ન કરો.
ભલે કોઈ નિંદા કરે, તમે ગ્રહણ ન કરો.
તમે તો એવા જીવોની પણ હિતચિંતા કરતા રહો. મિત્રતા નભાવતા રહો. મનને બગાડો નહીં
::
–
મૈત્રીભાવ ટકાવી રાખવા માટે બીજું ચિંતન બતાવ્યું છે - સર્વ જીવોને પ્રિય બંધુ માનવાનું. ‘સર્વ જીવો મારા પ્રિય બંધુ છે. કોઈ પણ શત્રુ નથી.’ જો આવું જ્ઞાનમૂલક ચિંતન નહીં કરો, તો તમારું મન ક્લેશ અને કટુતાથી ભરાઈ જશે અને બગડેલું મન તમારાં સર્વ સત્કાર્યો પર પાણી ફેરવી દેશે.
કોઈ તમારું થોડું પણ નુકસાન કરે, કંઈક બગાડે, તો તમે તમારા મૂલ્યવાન મનને બગાડો છો ! ક્લેશ કરો છો ને ? ક્રોધ અને ઝઘડો કરો છો ને ? એમાં તમને જ નુકસાન થાય છે. તમારું મન કટુતાથી ભરાઈ જાય છે. આવી ભૂલ શા માટે કરવી? ન કરવી. આનો પ્રારંભ પરિવારથી કરવો.
-
પત્ની તમારું કહ્યું નથી માનતી. સમજાવવા શાન્તિથી પ્રયત્ન કરો. ન સમજે તો એની ઉપર ક્રોધ ન કરો. એની ઉપેક્ષા કરવી. એને મિત્ર જ માનવી. ‘હજુ મારા અનાદેય નામકર્મનો ઉદય છે, એટલે તે મારી વાત માનતી નથી. આઠેય કર્મનો ઉદય થતાં તે માનશે.’ આવું વિચારીને આપણું મન શાંત કરવું.
કોઈ વાર એવું પણ બને છે કે કોઈ સંસ્થાવાળા, ટ્રસ્ટવાળા ફાળો લેવા માટે આવે છે, તમે ફાળો આપો છો. પરંતુ ત્રણ-ચાર ફાળાવાળા આવે પછી બીજા પણ આવે છે, તો તમને ગુસ્સો આવે છે ને ? તમે આવનારા સેવાભાવી મહાનુભાવોનું અપમાન
મૈત્રી ભાવના
૧૨૭