SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પરિભ્રમણ કરતા રહે છે, ભટકતા રહે છે. આવા ભીષણ ભવસંસારમાં દીન-હીન અને અપરાધી રૂપે ભટકતા જીવો એમનાં પાપકર્મોના ઉદયથી અનુચિત બોલે છે, અનુચિત કરે છે. કર્મોની ગતિ ન્યારીઃ - એક મનુષ્ય ક્રોધ કરે છે, કેમ? એના ક્રોધ મોહનીય કર્મના ઉદયથી ! - એક માણસ અભિમાન કરે છે, કેમ? એના માનમોહનીય કર્મના ઉદયથી. - એક માણસ માયા-કપટ કરે છે, કેમ? એના માયા મોહનીય કર્મના ઉદયથી ! - એક માણસ લોભ કરે છે, કેમ? એના લોભ મોહનીય કર્મના ઉદયથી. લોકો આ ચારે કષાયોને પરવશ થઈને દુર્વ્યવહાર કરે છે. તેઓ પરવશ, પરાધીન છે, એટલા માટે એવું કરે છે. એમના પ્રત્યે શત્રુતા રાખવાની નથી. મૈત્રીભાવ રાખવાનો છે કે ક્યારે એ જીવો કમની પરાધીનતા તોડે અને એમનો આત્મા નિર્મળ, વીતરાગ.. સર્વજ્ઞ બને ! એમના હિતની ચિંતા કરવાની છે.' બીજી વાત છે આપણી. આપણે પણ કર્મપરવશ જીવ છીએ. આપણાં એવાં પાપકર્મો ઉદયમાં આવે તો કોઈ પણ માણસ આપણું અપમાન કરશે, આપણને સન્માન નહીં આપે. આપણો તિરસ્કાર કરશે. આપણું કહ્યું નહીં માને. એવા કેટલાક કર્મો બતાવું છું. પ્રથમ છે અનાદેયનામકર્મ, બીજુંછે અપયશનામકર્મ, ત્રીજું છે દુર્ભાગ્ય નામકર્મ. આ અનાદેય, અપયશ અનેદુર્ભાગ્યકર્મ આદિ સાથે ઉદયમાં આવે તો તમારે બીજાંના અપમાન,તિરસ્કાર, ધૃણાનું ભાજન બનવું જ પડે. કોઈ સ્વજન પણ તમારે કહેવું નહીં માને તમને તમારાં સારાં કાર્યોનો યશ પણ નહીં મળે. તમારી નિંદા થશે. તમારો પરાભવ થશે. લગભગ બધા જીવાત્માઓમાં આ કમ હોય છે. કોઈમાં ઓછા અને અલ્પ સમય માટે તો વળી કોઈમાં વધારે અને વધુ સમય માટે હોય! આવી સ્થિતિમાં આત્મભાવમાં સ્થિર રહીને, ધૈર્યધારણ કરીને મનમા સ્વસ્થતા ટકાવી રાખવાની છે. ક્રોધની સામે ક્રોધ નથી કરવાનો. માન-અભિમાનની સામે અભિમાન નથી કરવાનું. માયા-કપટની સામે માયા-કપટ નથી કરવાનું. નિંદાની સામે નિંદા નથી કરવાની. તમારે તો એ સર્વે કર્મવશ જીવોના માટે હિતકામનારૂપ મૈત્રી ભાવના જ ભાવવાની છે. કોઈ તમારી સામે ક્રોધ કરે તો તમારા મનમાં એના પ્રત્યે શત્રુતાનો ભાવ આવે છે ને? પરંતુ તમે ક્રોધનો સ્વીકાર ન કરો તો ?એ જેની ઉપર ક્રોધ કરે છે તે હુંનથી. હું તો અરૂપી-અનામી છું. ભગવાન બુદ્ધનો એક પ્રસંગ છે. ભગવાન બુદ્ધ પાસે એક વિદ્વેષી માણસ ગયો અને પુષ્કળ ગાળો બોલવા લાગ્યો. [૧૨૬ શાન્તસુધારસ ભાગ ૩]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy