SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ विनय ! विचिन्तयमित्रतां त्रिजगति जनतासु । कर्मविचित्रतयागतिं विविधां गमितासु ॥ १ ॥ विनय. सर्वे ते प्रियबान्धवा न हि रिपुरिह कोऽपि । मा कुरु कलिकलुषं मनो निज सुकृतविलोपि ॥ २ ॥ विनय. यदि कोपं कुरुते परो, निजकर्मवशेन । अपि भवता किं भूयते हृदिरोषवशेन ॥ ३ ॥ विनय. अनुचितमिह कलहं सतां त्यज समरसलीन । भज विवेककलहंसतां गुणपरिचयपीन ॥ ४ ॥ विनय. ૧. ઓ વિનય ! કમની વિચિત્રતાનો શિકાર બનીને અલગ-અલગ ગતિઓમાં ભટકતા ત્રણે લોકના જીવો પ્રત્યે તું મિત્રતાનું ચિંતન કર. ૨. બધાં પ્રાણીઓ તારા મિત્રો છે. દુનિયામાં કોઈપણ તારાંશત્રુ નથી. નાહક ફ્લેશ અને કટુતાને વશ થઈને મનને બગાડ નહીં. બગડેલું મન તારાં તમામ કાર્યો ઉપર પાણી ફેરવી દેશે. ૩. ઠીક છે, કોઈ માણસ પોતાનાં કર્મોને વશ રહીને તારી ઉપર ગુસ્સો કરતો હોય, તો તે વખતે તારે શા માટે ગુસ્સાની ગુલામી સ્વીકારીને સામે ગુસ્સો કરવો જોઈએ? ૪. આ દુનિયામાં ભલા-સારા માણસો માટે ક્લેશ કરવો એ ઉચિત નથી લાગતું. તું તો સમતાભાવના નીરમાં ખેલનારો મીન છે. ક્લેશને છોડી દે. ગુણોના સંસર્ગથી સમૃદ્ધ બનેલ ઓ ચેતન! તું માનસરોવરના હંસની જેમ વિવેકબુદ્ધિથી યુક્ત બન. શત્રુતાનું કારણ - કમની વિચિત્રતા? ગ્રંથકાર ઉપાધ્યાયજીએ મૈત્રી ભાવનાના કાવ્યના પ્રારંભમાં કહ્યું: “તું ત્રણે લોકના જીવો પ્રત્યે મિત્રતાનું ચિંતન કર.” એટલે કે સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે મિત્રતાનું ચિંતન કરવાનું કહ્યું. પરંતુ શ્રોતાઓના મનમાં પ્રશ્ન ઊઠે જ છે કે જે લોકો અમારી સાથે, અમારા પરિવાર સાથે, સ્વજન મિત્રોની સાથે શત્રુતાપૂર્ણ દુર્વ્યવહાર કરતા હોય, તેમના પ્રત્યે મૈત્રીભાવનું ચિંતન કેવી રીતે કરે? ન થાય એવું ચિંતન ! આપણા મનની આ ટિંધાને સમજીને ગ્રંથકારે દ્વિધાને દૂર કરવા માટે સર્વ જીવ કર્મવશ છે ! એ જીવો ખરાબ નથી, એમનાં કર્મ-પાપકર્મો એવાં છે, જે એમને અનુચિત-શત્રુતાપૂર્ણ વ્યવહાર કરાવે છે. નવાં પાપકર્મો બાંધીને એ ચારે ગતિઓમાં [ પૈત્રી ભાવના . ૧૨૫]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy