SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ एवमतिदुर्लभात् प्राप्य दुर्लभतमं, बोधिरलं सकलगुणनिधानम् । कुरु कुरु प्राज्य विनय प्रसादोदितं શાન્તરમ-સરસ-પીયૂષાનમ્ | ૮ || ‘આ રીતે દુર્લભથી ય દુર્લભ એવા ગુણસંપન્ન બોધિરત્નને પ્રાપ્ત કરીને તને વિનયના અનુગ્રહથી જે શાન્તરસનું પીયૂષપાન મળ્યું છે, એનો યથાર્થ ઉપયોગ કર. ’ આ બોધિદુર્લભ ભાવનાની અંતિમ કારિકા છે. આજે આ ભાવનાનું વિવેચન પૂર્ણ કરીશ. હવે કેટલીક વાતો વિચારો. પોતાની જાતને પૂછજો. તને મનુષ્યગતિ પ્રાપ્ત થઈ છે ? તેં આર્યભૂમિમાં જન્મ ધારણ કર્યો છે ? તને શારીરિક આરોગ્ય મળ્યું છે ? તારી પાંચે ઇન્દ્રિયો પરિપૂર્ણ છે ? તને ચિંતન-મનન માટે મન મળ્યું છે ? તને સુદેવ, સુગુરુ અને સદ્ધર્મનો સંયોગ મળ્યો છે ? બસ, તો અતિદુર્લભ ‘બોધિરત્ન’પ્રાપ્ત કરીને શાન્તસુધારસનું પાન કરવાનું છે. એટલે કે પરમ આંતરિક શાન્તિનો અનુભવ કરવાનો છે. સકલ ગુણનિધાન બોધિરત્ન ઃ ગ્રંથકાર કહે છે - અતિ અતિદુર્લભ બોધિરત્ન પ્રાપ્ત કરીને શાન્તરસનું, પ્રશમરસનું પીયૂષપાન કરી લે, બોધિરત્નની પ્રાપ્તિ થઈ કે સકળ ગુણોનો ભંડાર પ્રાપ્ત થઈ ગયો એવું સમજી લો. બોધિ એટલે કે સમકિત. આ સમકિત ગુણ આત્મામાં કેવી રીતે પ્રકટ થાય છે અને સમકિતી આત્મામાં કેવા સુંદર પરિવર્તન આવે છે, એ વાત એક સજ્ઝાયમાંકાવ્યમાં બતાવી છે. દેવવિમલજીના શિષ્ય ચરણકુમારની આ રચના છે. તમે એકાગ્ર મનથી સાંભળજો. સમકિત કિણવિધ પામે પ્રાણી, પૂછે ગૌતમ સ્વામી રે, ત્રિશલાનંદન ઇણવિધ ભાખે, ભવિયણને હિતકામી રે... ૧ જીવ જે વારે સહજ સ્વભાવે, આવે ઉપશમ ભાવ હૈ, મોહદ્રોહ સંતિ દૂર ગમાવે, સમકિત ચઢતે દાવ ...૨ સમકિત સૂર ઉઠે જબ આવે નાશે તિમિર મિથ્યાત રે, જ્ઞાનકિરણ કરી જ્યોતિ પ્રકાશે, પ્રકટે સહજ સ્વભાવ છે..૩ બોધિદુર્લભ ભાવના ૭
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy