________________
તિર્યંચ-પંચેન્દ્રિયની ચાર લાખ યોનિઓ છે. . મનુષ્યની ૧૪ લાખ યોનિઓ છે. આમ બધી મળીને ૮૪ લાખ યોનિ છે.
ગ્રંથકાર કહે છે - પૂછે છે કે આ ૮૪ લાખ યોનિઓમાં ભટકતા જીવે ક્યાં ધર્મની વાતો સાંભળી છે? કારણ કે બહુધા તો દુનિયામાં ત્રણ પ્રકારની વાતો જ થતી હોય
૧. રસગારવની ૨. ઋદ્ધિગારવની
૩. શાતાગારવની ! ત્રણ ગારવમાં ડૂબેલી દુનિયા
રસ, દ્ધિ અને શાતાગારવના ઊંડા કાદવમાં જીવ ફસાતા જ જાય છે. મીઠો અને ખાટો, તીખો અને તૂરો...તમામ રસો જીવને પ્રિય હોય છે. કોઈક વાર મીઠો રસ પ્રિય લાગે છે તો કોઈ વાર ખાટો રસ, કોઈ વાર કડવો તો કોઈ વાર તૂરો રસ પ્રિય લાગે છે. આવા રસોને લીધે કેટલા પ્રબળ રાગદ્વેષ થાય છે, એ સમજવાનું છે. આવા રાગદ્વેષની પરિણતિમાં વૈરાગ્યભાવ ભલા ટકી પણ કેવી રીતે શકે?
ઋદ્ધિગારવ એટલે માન-પાન-વૈભવવિલાસની ઈચ્છા થતી હોય છે. માણસ પોતાના વૈભવનું, સંપત્તિનું અભિમાન કરતો ફરે છે. પોતાની સંપત્તિની સુરક્ષા કરવાના વિચારો કરે છે. આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરતો રહે છે. પોતાના વૈભવના પ્રદર્શનમાં જ એ પોતાની જાતને ગૌરવશાળી માને છે. એવા જીવોમાં વૈરાગ્ય અથવા શાન્તિ કેવી રીતે ટકી શકે?
શાતાગારવ એટલે “સુખશીલતા'! ‘આપણને એવું ઘર જોઈએ, એવું ફર્નિચર જોઈએ, એવું ‘એરકુલર’ જોઈએ. ઘરની આગળ સરસ લાગ જોઈએ. કોઈ પણ પ્રતિકૂળતા ન જોઈએ. સુખચેનથી જીવવાનું છે. સુંદર અને નવી ફેશનનાં વસ્ત્રો જોઈએ. ઊંચી જાતની કીમતી કાર જોઈએ.’
આ રીતે ત્રણ ગારવની વાતોમાં મનુષ્ય જીવનનો મૂલ્યવાન સમય વ્યર્થ પસાર થઈ જાય છે. એ ન તો દેવ-ગુરુદર્શનની વાતો કરે છે, ન તો શ્રદ્ધા - આસ્તિકતા - સમ્યગુદર્શનની ચર્ચા કરે છે કે નથી તો તે દયા, અનુકંપાની વાતો કરતા. મોક્ષની વાતો કરવાનું તો આવડતું જ નથી!મોક્ષસ્વરૂપનું જ્ઞાન જ ક્યાં છે?ભવવૈરાગ્યની વાતો પણ કદાચ ભાગ્યે જ કરતા હશે. શાન્તસુધારસની શાન્તિ-સમતાની વાતો
ક્યારે કરો છો? કંઈક વિચારો, આ મનુષ્યજીવનમાં બોધિરત્ન પ્રાપ્ત કરીને એને વૃઢતાથી સુરક્ષિત રાખો.
[ ૯૬ :
શાન્ત સુધારસઃ ભાગ ૩]