________________
દુષ્ટ પ્રવૃત્તિ એટલે કે યોગ-દુપ્રણિધાન,
પરિશ્રમ : સંસારનાં કાર્યોમાં વધારે પરિશ્રમ કરવાથી ધર્મઆરાધનામાં આળસ આવી જાય છે. બીજાં કાર્યોમાં વધારે પરિશ્રમ કરવાથી થાકી જવાય છે, પછી ધર્મકાર્યમાં મન લાગતું નથી
નિદ્રા ઃ નિદ્રા પણ આંતરશત્રુ છે. હા, ઓછી નિદ્રા પ્રમાદ નથી. પરંતુ ધર્મશ્રવણ કરતાં કરતાં, માળા ફેરવતાં ફેરવતાં જે નિદ્રા આવે છે, એ પ્રમાદ છે. કેટલાંય સ્ત્રીપુરુષોને ધર્મસ્થાનોમાં નિદ્રા આવી જાય છે. આ પ્રમાદને કારણે મનુષ્ય સાચો ધર્મ કરી શકતો નથી અને આમ ને આમ મનુષ્ય જીવન વ્યર્થ ચાલ્યું જાય છે.
चतुरशीतावहो योनिलक्षेष्वियं
क्व त्वया कर्णिता धर्मवार्ता ?
प्रायशो जगति जनता मिथो विवदते
હિ-સ-શાતનુનરવાતાં || ૭ ||
પહેલાં આ સાતમી કારિકાનો અર્થ સાંભળી લો - ‘ચોરાશી લાખ યોનિઓમાં ફેરા ફરતાં કઈ જગાએ તને સારી વાત સાંભળવા મળી છે ? મોટા ભાગે તો દુનિયામાં માનપાન - ખાનપાન અને આરામની વાતોમાં જ સમય વીતતો હોય છે. ચોરાશી લાખ યોનિઓ :
આપણા આત્માએ ચોરાશી લાખ યોનિઓમાં જન્મ લીધો છે ! કઈ કઈ યોનિઓમાં આપણે જન્મ લીધો છે, તે સમજવું આવશ્યક છે. એનાથી ભવભ્રમણની ભયાનકતા સમજાશે અને ‘હવે મારે ૮૪ લાખ યોનિઓમાં ભટકવું નથી અને બહુ જલ્દી...બસ, ૩-૪ ભવમાં જ મોક્ષ પામવો છે,' એવો વિચાર આવશે.
'યોનિ' શબ્દ 'યુ-મિશ્રને’ધાતુમાંથી બન્યો છે. બીજા જન્મના પરિવર્તનના સમયે જીવ ‘તૈજસ-કાર્મણ' શરીરવાળો હોય છે. જ્યાં ઔદારિકાદિ શરીર યોગ્ય પુદ્ગલસ્કંધની સાથે મિશ્ર થઈ જાય એ સ્થાનને યોનિ કહે છે. અથવા જીવોનું ઉત્પત્તિસ્થાન ‘યોનિ’ કહેવાય છે.
પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુની સાત-સાત લાખ યોનિઓ છે. પ્રત્યેક વનસ્પતિકાયની ૧૦ લાખ યોનિઓ છે.
અનંત વનસ્પતિકાયની ૧૪ લાખ યોનિઓ છે.
બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિયની ૨-૨ લાખ યોનિઓ છે. નારકોની ચાર લાખ યોનિઓ છે.
દેવોની ચાર લાખ યોનિઓ છે.
બોધિદુર્લભ ભાવના
૯૫