SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ દુષ્ટ પ્રવૃત્તિ એટલે કે યોગ-દુપ્રણિધાન, પરિશ્રમ : સંસારનાં કાર્યોમાં વધારે પરિશ્રમ કરવાથી ધર્મઆરાધનામાં આળસ આવી જાય છે. બીજાં કાર્યોમાં વધારે પરિશ્રમ કરવાથી થાકી જવાય છે, પછી ધર્મકાર્યમાં મન લાગતું નથી નિદ્રા ઃ નિદ્રા પણ આંતરશત્રુ છે. હા, ઓછી નિદ્રા પ્રમાદ નથી. પરંતુ ધર્મશ્રવણ કરતાં કરતાં, માળા ફેરવતાં ફેરવતાં જે નિદ્રા આવે છે, એ પ્રમાદ છે. કેટલાંય સ્ત્રીપુરુષોને ધર્મસ્થાનોમાં નિદ્રા આવી જાય છે. આ પ્રમાદને કારણે મનુષ્ય સાચો ધર્મ કરી શકતો નથી અને આમ ને આમ મનુષ્ય જીવન વ્યર્થ ચાલ્યું જાય છે. चतुरशीतावहो योनिलक्षेष्वियं क्व त्वया कर्णिता धर्मवार्ता ? प्रायशो जगति जनता मिथो विवदते હિ-સ-શાતનુનરવાતાં || ૭ || પહેલાં આ સાતમી કારિકાનો અર્થ સાંભળી લો - ‘ચોરાશી લાખ યોનિઓમાં ફેરા ફરતાં કઈ જગાએ તને સારી વાત સાંભળવા મળી છે ? મોટા ભાગે તો દુનિયામાં માનપાન - ખાનપાન અને આરામની વાતોમાં જ સમય વીતતો હોય છે. ચોરાશી લાખ યોનિઓ : આપણા આત્માએ ચોરાશી લાખ યોનિઓમાં જન્મ લીધો છે ! કઈ કઈ યોનિઓમાં આપણે જન્મ લીધો છે, તે સમજવું આવશ્યક છે. એનાથી ભવભ્રમણની ભયાનકતા સમજાશે અને ‘હવે મારે ૮૪ લાખ યોનિઓમાં ભટકવું નથી અને બહુ જલ્દી...બસ, ૩-૪ ભવમાં જ મોક્ષ પામવો છે,' એવો વિચાર આવશે. 'યોનિ' શબ્દ 'યુ-મિશ્રને’ધાતુમાંથી બન્યો છે. બીજા જન્મના પરિવર્તનના સમયે જીવ ‘તૈજસ-કાર્મણ' શરીરવાળો હોય છે. જ્યાં ઔદારિકાદિ શરીર યોગ્ય પુદ્ગલસ્કંધની સાથે મિશ્ર થઈ જાય એ સ્થાનને યોનિ કહે છે. અથવા જીવોનું ઉત્પત્તિસ્થાન ‘યોનિ’ કહેવાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુની સાત-સાત લાખ યોનિઓ છે. પ્રત્યેક વનસ્પતિકાયની ૧૦ લાખ યોનિઓ છે. અનંત વનસ્પતિકાયની ૧૪ લાખ યોનિઓ છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિયની ૨-૨ લાખ યોનિઓ છે. નારકોની ચાર લાખ યોનિઓ છે. દેવોની ચાર લાખ યોનિઓ છે. બોધિદુર્લભ ભાવના ૯૫
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy