________________
द्वादश-नव रन्ध्राणि निकामं, गलदशुचीनि न यान्ति विरामम् । यत्र वपुषि तत्कलयसि पूतं मन्ये तव नूतनमाकूतम् ॥ ५ ॥ अशितमुपस्करसंस्कृतमन्नं जगति जुगुप्सां जनयति हन्नम् । पुंसवनं धैनवमपि लीढं, भवति विगर्हितमति जनमीढम् ॥ ६ ॥ केवलमलमय पुद्गलनिचये, अशुचीकृतशुचि भोजनसिचये । वपुषिविचिन्तय परमिह सारं, शिवसाधनसामर्थ्यमुदारम् ॥ ७ ॥ येन विराजितमिदमतिपुण्यं तच्चिन्तय चेतन ! नैपुण्यं । विशदागममधिगम्य निपानं, विरचय शान्तसुधारसपानम् ॥ ८ ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ’માં ‘અશુચિ ભાવના’નું સમાપન કરતાં કહે છે -
૫. શરીરનાં બાર (સ્ત્રીનાં) અને નવ (પુરુષનાં) છિદ્રોમાંથી સતત અશુચિ - ગંદા પદાર્થો નીકળતા રહે છે. એ શરીરને તું પવિત્ર માનવાની જીદ લઈને બેઠો છે. લાગે છે કે આ તારો કોઈ નવો જ દૃષ્ટિકોણ છે, નવી જ પદ્ધતિ છે.
૬. સારી રીતે તૈયાર કરેલું સ્વાદિષ્ટ અને સરસ ભોજન પણ વિષ્ટા થઈને જુગુપ્સાઘણા ઉત્પન્ન કરે છે. ગાયનું પવિત્ર મનાતું દૂધ પણ મૂત્ર બનીને ગંદકી ફેલાવે છે.
૭. આ શરીર કેવળ મળથી વ્યાપ્ત પરમાણુઓનો ઢગલો માત્ર છે. સુંદર-સરસ ભોજન યા તો મન લોભાવનારાં વસ્ત્રોનેય અપવિત્ર કરનારું છે. પરંતુ આ શરીરમાં જો કંઈ પણ સારભૂત તત્ત્વ હોય તો તે છે - મોક્ષમાર્ગની આરાધના કરવાનું સામર્થ્ય. તું આ અંગે વિચાર કર.
૮. આ (અપવિત્ર) શરીરને મહાપુણ્યશાળી કહી શકાય એવી કળાની બાબતમાં વિચાર કર. મહાપવિત્ર એવા આગમશાસ્ત્ર રૂપ જળાશયને કિનારે બેસીને તું શાન્તસુધારસનો આસ્વાદ કર. તારું શરીર તો પવિત્ર થશે જ, મન પણ પાવન થઈ જશે.
એક શૌચવાદી બ્રાહ્મણ :
જે મનુષ્ય શરીરની અંદર જોતો નથી, શરીરની અંદર ભરેલી ગંદકીને જોતો નથી, શરીરનાં છિદ્રો દ્વારા શરીરમાંથી બહાર નીકળતી ગંદકીને જોતો નથી અને માત્ર બાહ્ય પવિત્રતા, બાહ્ય શરીરશુદ્ધિને લક્ષ્ય બનાવીને જીવે છે, તે કેટલો હાસ્યાસ્પદ - ઉપહાસપાત્ર બને છે એ વિષયમાં એક કથા સંભળાવું છું - તમે પણ એ બ્રાહ્મણની કથા સાંભળીને હસશો.
અશુચિ ભાવના
૮૫