________________
જોઈને વિરાગી પણ બને છે. બહિદ્રષ્ટિ મનુષ્ય શરીરની સેવા કરે છે, સંભાળ રાખે છે, જ્યારે તત્ત્વદૃષ્ટિ મનુષ્ય શરીરના માધ્યમથી પોતાની મહત્તા સમજે છે અને સ્વયંને શરીરના બંધનમાં જકડેલો - તુચ્છ જીવ માને છે.
શારીરિક સૌંદર્ય, તેની શક્તિ, એના લાવણ્ય અને આરોગ્યને મહત્ત્વ આપનાર બાહ્યવૃષ્ટિ મનુષ્ય શરીરમાં સર્વત્ર વ્યાપ્ત આત્માના સૌંદર્યને જોતો નથી, જોઈ શકતો નથી તેમજ આત્માની અપાર શક્તિને સમજી શકતો નથી. એની સાથે આત્માના અવ્યાબાધ આરોગ્યની એને રજમાત્ર કલ્પના નથી હોતી. અરે, મુલાયમ, મોહક ત્વચાની નીચે રહેલી બીભત્સતાને તે જોઈ શકતો નથી. એની દ્રષ્ટિ તો માત્ર બાહ્યત્વચા ઉપર જ કેન્દ્રિત હોય છે. એ લૂખી ત્વચાને મુલાયમ બનાવવા, આકર્ષક બનાવવાના પ્રયત્નોમાં રાચતો હોય છે. ગંદી ચામડીને સાફસુથરી બનાવવા માટે આકાશપાતાળ એક કરે છે. બહિરાત્મદશામાં આવું જ થાય છે.
પરંતુ અંતરાત્મા-તત્ત્વવૃષ્ટિ પુરુષ હંમેશાં શરીરની અંદર જ નિહાળે છે અને કંપી ઊઠે છે. એમાં માંસ, રુધિર, મલ અને મૂત્ર બહાર નીકળીને વહેતાં લાગે તો જોઈન શકાય એવું બીભત્સ દૃશ્ય ઊભું થાય. તત્ત્વદ્રષ્ટિ પુરુષ શરીરની રોગી અવસ્થાનો વિચાર કરે છે, વૃદ્ધાવસ્થાની કલ્પના કરે છે અને અંતમાં નિશ્રેષ્ટ દેહનું દર્શન કરે છે - એની આસપાસ એકઠા થયેલા કાગડા અને કુતરાંને જુએ છે. તેઓ શરીરના અણુઅણને તોડી-ખેંચી રહ્યા છે. અનાયાસ એ આંખો બંધ કરી દે છે. જે શરીરને પ્રતિદિન મેવા-મિષ્ટાન ખવડાવી પિવડાવીને પુષ્ટ કર્યું - દરરોજ નવડાવ્યું - સજાવ્યું અને સુશોભિત કર્યું તે આખરે કાગડાઓની તીક્ષ્ણ ચાંચોના પ્રહાર સહવા માટે - કૂતરાઓની દાઢ તળે ચાવવા માટે?..
માનવ, આ શરીરને લાકડાંની ચિતા ઉપર લાચાર, મજબૂર, નિદ્માણ હાલતમાં પડેલું જુએ છે, ક્ષણાર્ધમાં એ અગ્નિની જ્વાળાઓમાં, લાકડાંની સાથે બળીને રાખ થઈ જાય છે. માત્ર કલાક - બે કલાની મુદતમાં લાકડાં સાથે બળીને રાખનો ઢગલો થઈ જાય છે અને વાયુના ઝપાટા પળ બે પળમાં એ રાખને અહીંતહીં ઉડાડી દઈને નામશેષ કરી નાખે છે.
શરીરની આ અવસ્થાની વાસ્તવિક કલ્પના તત્ત્વવૃષ્ટા પુરુષ જ કરી શકે. એનાથી શરીરનું મમત્વ તૂટી જાય છે. એનું મન અવિનાશી આત્મા પ્રત્યે પૂર્ણતયા આકર્ષિત થાય છે. આત્મદર્શન પામવા માટે તે પોતાનાં વૈષયિક, ભૌતિક સુખચેનને તિલાંજલિ આપી દે છે. શરીરને દુર્બળ અને કુશ બનાવી દે છે. શરીર સૌંદર્યની એને પરવા હોતી નથી. પાપોને આધારે એ આ શરીરને ભૂલમાંય પુષ્ટ કરતો નથી કે વિકસવા દેતો નથી. તે તો નિષ્કામ વૃત્તિ ધારણ કરીને શરીરને ટકાવવા માગે છે અને એ પણ પોતાના આત્માના હિતાર્થે તત્તવૃષ્ય જ્ઞાની પુરુષનું આ જ વાસ્તવિક [ અશુચિ ભાવના |
| ૩]