________________
यदीयसंसर्गमवाप्य सद्यो भवेच्छुचीनामशुचित्वमुच्चैः । अमेध्ययोनेर्वपुषोऽस्य शौचसंकल्पमोहोऽयमहो ! महीयान् ॥ ४ ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્ત સુધારસ' ગ્રંથમાં “અશુચિ ભાવના બતાવતાં કહે છેઃ “જે શરીર તેના સંપર્કમાં આવનારી પવિત્ર વસ્તુઓને પણ મલિન કરી દે છે, એમાં પવિત્રતાની કલ્પના કરવી એ મહાન અજ્ઞાનતા છે, મૂઢતા છે. શરીર પવિત્રને અપવિત્ર કરે છે?
પવિત્રને અપવિત્ર કરે છે આ શરીર, શુદ્ધને ય અશુદ્ધ કરે છે આ શરીર અને નિર્મળનેય મલિન કરે છે આ શરીર!
પરમાત્માના મંદિરમાં જ્યારે અચાનક કોઈ બાળકને મળમૂત્રથી લપેટાયેલું જોયું, તો આ શરીરની વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો. પવિત્ર મંદિરોને અપવિત્ર કરનાર આ શરીર હતું.
એકદમ ધોઈને ઉજ્વળ બનાવેલાં કપડાંથી સવારે શરીરને સજાવ્યું હતું, પરંતુ સાંજ સુધીમાં એ શરીરે એ વસ્ત્રોને પરસેવાથી અને મેલથી ગંદાં કરી નાખ્યાં. ત્યારે ખ્યાલ આવ્યો કે શરીરને ઉપરથી પહેરાવેલું કે શરીરની અંદર રહેલું કોઈ પણ દ્રવ્ય શુદ્ધ ન રહી શકે. કોઈ પણ વસ્તુ સ્વચ્છ-નિર્મળ ન રહી શકે. ' અરે, શરીરને દિવસમાં વારંવાર નવડાવવામાં આવે, તો પણ તે શુદ્ધ રહે છે? રહી શકે. એ સ્વચ્છ અને શુદ્ધ ન રહી શકે, તે પવિત્ર ન રહી શકે કે નિર્મળ પણ ન રહી શકે. આવા શરીર ઉપર શા માટે રાગ કરવો? શા માટે આસક્તિ રાખવી? તો પણ આ શરીર આપણું હોય કે પરાયું હોય, તે શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય - “જ્ઞાનસારમાં મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ સ્ત્રીના સૌંદર્યસભર શરીર પ્રત્યે આકર્ષિત થતા પુરુષમનને સંબોધિત કરતાં કહ્યું છે કે -
बाह्यदृष्टिः सुधासारघटिता भाति सुंदरी ।
तत्त्वदृष्टेस्तु सा साक्षाद् विण्मूत्रपिठरोदरी ॥ તત્તવૃષ્ટિવાળા મહાપુરુષો નારીદેહની સુકોમળ ધવલ ત્વચાની અંદર જુએ છે અને વિષ્ટા, મૂત્ર, રુધિર, માંસ અને હાડકાં સિવાય કશું એમને જણાતું નથી. એમને જોવા માત્રથી વૈરાગ્ય પેદા થાય છે. દેહદર્શન -બે દ્રષ્ટિ :
બહિર્દષ્ટિ લોકોએ - કવિઓએ નારીના શરીરની પ્રશંસા કરી છે. કોઈ કવિએ લખ્યું છે, “જગત્ નિમતિ બ્રહ્માએ અમૃતનો સાર માત્ર નારીદેહને બનાવ્યો છે.” કનૈષધીયચરિત્ર'ના કર્તા કવિ હર્ષે કહ્યું છે - દ્રૌપદી એવી અસાધારણ સુંદરી હતી કે - અશુચિ ભાવના
.
૬૧ |