________________
દુરાગ્રહ હશે, તો તમે શાન્તસુધારસનું પાન નહીં કરી શકો. આગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ - એ બધાં આગ્રહ બાધક બને છે. શાન્તસુધા૨સના પાનમાં એટલા માટે અનાગ્રહી બનવાનું છે.
અભક્ષ્ય - દોષપૂર્ણ આહાર પણ ત્યજવાનો છે. આહારની અસર મન ઉપર પડે છે. ‘જેવું અન્ન એવું મન.' એવું કહેવામાં આવે છે.
,
ચોથી વાત પણ ખૂબ મહત્ત્વની છે. બીજાંનાં સુખવૈભવ જોઈને મનમાં ઈર્ષ્યા તો નથી થતી ને ? દુઃખ તો નથી થતું ને ? એટલે કે ભૌતિક સુખોનું આકર્ષણ છૂટી જવું જોઈએ. આપણા પોતાનાં સુખોમાં રાગ નહીં, બીજાંનાં સુખ જોઈને દ્વેષ નહીં !
‘શાન્તસુધારસ’નું પાન કરવું હોય તો આ બધી વાતો તમારે સમજવી પડશે. હું ઇચ્છું છું કે આ ભાવનાઓથી તમે ભાવિત બનો. આ ભાવનાઓને અનુરૂપ વિચારો બનાવો, તમે જરૂરથી શાન્તિ પામશો. “ધર્મપ્રાપ્તિ’ ભાવનાનું વિવેચન આજે પૂર્ણ થાય છે. તમે આ ભાવનાને આત્મસાત્ કરતાં અનંત ગુણોને પ્રાપ્ત કરો, એ જ
મંગલ કામના.
આજે બસ, આટલું જ.
૨૯૪
શાન્તસુધારસ : ભાગ ૨