________________
ગુણવાન વ્યક્તિ જ શાન્તસુધાનું પાન કરી શકે છે. હૃદયમાં પરમ શક્તિનો અનુભવ ગુણવાન અને જ્ઞાની વ્યક્તિ જ કરી શકે છે. શમરસનું પાન કરવાના વિષયમાં એક કવિએ કહ્યું છે -
શમરસ-અમૃત ચાટો, કુવ્યસન મૂકો. મનનો આંટો, સદોષનપિંડે મ ભરો ઠાઠો, પરસુખ દેખી મમ વાંટો રે,
ભવિકા! શમરસ-અમૃત ચાટો. શમરસનું પાન કરવા દુર્લસનોનો ત્યાગ કરો. મનના કદાગ્રહો છોડી દો. દોષિત આહારથી શરીર-પોષણ ન કરો અને બીજાંનાં સુખ જોઈને મનમાં દુઃખી ન થાઓ.
રોગ શમે જેમ અમૃત છાંટે, હૃદય પડે નવિ આંટે, ધર્મ કરત ભવિક જીવને શિવસુખ આવે અટે રે.
ભવિકા! શમરસ-અમૃત ચાટો. જે રીતે અમૃતના બુંદ માત્રથી સર્વ રોગો શાન્ત થઈ જાય છે અને એ હૃદયમાં સરળ ભાવે આવે છે, એ રીતે ભવ્ય જીવને ધર્મની આરાધના વખતે શિવસુખની પ્રાપ્તિ થાય છે. * ગુણ વિણ કિમ શિવ ગિરિ પર ચડિયે, હીણ પુણ્ય જન રોટે, બેસે જો જિનગુણમણિ સાટે, તો સબ ભવદુઃખ કાટ રે.
ભવિકા! શમરસ-અમૃત ચાટો.... હે આત્મન્! ગુણો પ્રાપ્ત કર્યા વગર મોક્ષરૂપ પર્વતની ઉપર કેવી રીતે ચડાશે? ગુણહીન, પુણ્યહીન જીવ ચડી શકતો જ નથી. જે મોક્ષ પર્વત ઉપર ચડવું હોય તો જિનેશ્વરોએ જે ગુણ પ્રાપ્ત કર્યા છે એ ગુણોને ક્રમશઃ પ્રાપ્ત કરવાના છે. ગુણશ્રેણિ ઉપર ચડતા રહો, તો આઠ કર્મોનો ક્ષય કરીને, સંસાર-દુઃખોનો નાશ કરીને તું મોક્ષ પર્વત ઉપર પહોંચી જઈશ
સૌ પ્રથમ કવિએ જે ચાર વાતો કહી છે, તે વાતો શમરસનું પાન કરનારાઓ માટે અતિ મહત્ત્વપૂર્ણ છે – ૧. દુર્વ્યસનોનો ત્યાગ. ૨. મનના કદાગ્રહોનો ત્યાગ. ૩. દોષિત આહારનો ત્યાગ. ૪. બીજાંનાં સુખ જોઈને દુઃખી ન થવું. : દુર્લસનોનો ત્યાગ તી તમે કર્યો જ હશે! I શું મનના દુરાગ્રહો છૂટ્યા છે? આ અતિ મહત્ત્વની વાત છે. જો મનમાં કોઈ [ ધમપ્રભાવ ભાવના ,
૨૯૩