________________
પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્ત સુધારસ' ગ્રંથમાં દશમી ભાવનાનું વસંત રાગમાં ગાન કરે છે. સોહિણી રાગમાં પણ આ ભાવના સુંદર રીતે ગાઈ શકાય છે.
पालय पालय रे, पालय मां जिनधर्म । मंगलकमलाकेलिनिकेतन, करुणाकेतन धीर । शिवसुखसाधन भवभयबाधन जगदाधार गम्भीर ॥ पालय. હે જિનધર્મ! તું મારું પાલન કર. ઓ જિનકથિત ધર્મ! તું મારું પાલન કર, તું મારી રક્ષા કર, તું મારો ઉદ્ધાર કર. ઓ જિનકથિત ધર્મ ! તું મંગલમયી ક્રીડાઓના સ્થાનરૂપ છે. " તું કરુણાસભર છે. : તું ઘેર્યવાન છે. - તું મુક્તિસુખના સાધનરૂપ છે. . સંસારના ભયોને દૂર કરનાર છે. - જગતના આધારરૂપ છે. i તું ધીર છે.. ગંભીર છે.
એ રીતે હે ધર્મ! તું મારું પાલન કર. ઘર્મ ઉત્કૃષ્ટ મંગલ છેઃ
ગ્રંથકારે કહ્યું છે કે ધર્મમંગલમયી ક્રીડાઓનું સ્થાન છે, એટલે કે જેના જીવનમાં ધર્મ હોય છે, જેના મનમાં સદૈવ ધર્મ હોય છે, એનાં તમામ કાર્યો મંગલમય હોય છે. દેવલોકના દેવો પણ એની સામે નતમસ્તક થાય છે. “દશવૈકાલિક સૂત્ર”ના પ્રારંભમાં જ કહ્યું છે કે -
धम्मो मंगलमुक्किळं अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो ॥ અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ ઉત્કૃષ્ટ-શ્રેષ્ઠ મંગલ છે. સવા ધર્મમાં જેનું મન સદેવ રમણ કરતું હોય, એને દેવો પણ વંદન કરે છે. એનાં તમામ દુઃખો દૂર થાય છે, સર્વ સુખો પ્રાપ્ત થાય છે.
૨૭૦
Sિ
શાન્તસુધારસ: ભાગ ૨