SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ v સતી સુલસા- જેને સ્વયં ભગવાન મહાવીર સ્વામીએ ધર્મલાભ' કહેવડાવ્યા હતા. શ્રેષ્ઠ સુદર્શન - રાણી અભયાએ એને કામવિકારવશ કરવા ભરપૂર પ્રયત્નો કર્યા હતા, છતાં તે નિર્વિકારી રહ્યા. એમના શીલપ્રભાવથી શૂળી સિંહાસન બની ગઈ હતી! | સતી સુરસુંદરી - એને એના પતિ અમરકુમારે રાક્ષસદ્વીપ ઉપર છોડી દીધી હતી, પરંતુ રાક્ષદ્વીપનો દુષ્ટ અધિષ્ઠાયક દેવ સતીના શીલપ્રભાવથી અને નવકારમંત્રના પ્રભાવથી વાત્સલ્યપૂર્ણ બન્યો હતો. I સતી અંજન હનુમાનજીની માતા ! ૨૨-૨૨ વર્ષ સુધી પતિ પવનંજયનો વિરહ થયો. છતાં પણ શીલધર્મનું શ્રેષ્ઠ પાલન કર્યું હતું. એવાં તો અનેક શીલવંત સ્ત્રીપુરુષો થઈ ગયાં. જેમણે જીવન કરતાં ય અધિક શીલધર્મને તીવ્રતાથી ચાહ્યો હતો. આ દેશની આ એક મહાન પરંપરા છે. એવા શીલધર્મના પ્રભાવથી આપણો દેશ મહાન છે અને મોક્ષમાર્ગની આરાધના થઈ રહી છે. એને માટે પુરુષ અને સ્ત્રીએ શીલધર્મનું પાલન અવશ્ય કરવું જોઈએ. પરસ્ત્રી અને પરપુરુષનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ.. હવે શીલની બાબતમાં એક કાવ્ય સંભળાવીને આ વિષય બંધ કરીશ - શીયલ સમું વ્રત કો નહીં શ્રી જિનવર એમ ભાખે રે, સુખ આપે જે શાશ્વત, દુર્ગતિ પડતા રાખે રેશીયલ. ૧ વત પચ્ચશ્માણ વિના જુઓ, નવ નારદ જેહરે. એક જ શીલ તણે બળે. ગયા મુગતે તેહ રે....શીયલ. ૨ સાધુ અને શ્રાવક તણાં, વ્રત છે સુખદાયી રે શીયલ વિના વ્રત જાણજો. કુસકા સમ ભાઈ રેશીયલ. ૩ તરુવર મૂલવિના જિત્યો, ગુણવિણ લાલ કમાન રે, શીયલ વિના વ્રત એહવું કહે વીર ભગવાન રેશીયલ. ૪ નવ વાડ કરી નિમેલું, પહેલું શીયલ જ ધરજો રે. ઉદયરત્ન કહે તે પછી, વતનો ખપ કરજે રે... શીયલ. ૫ હવે આ કાવ્યનો અર્થ બતાવું છું - શ્રી જિનેશ્વરે કહ્યું છે કે શીલ સમાન કોઈ વ્રત નથી, શીલથી શાશ્વતું સુખ મળે છે અને શીલવાન દુર્ગતિમાં જતો નથી. આ અવસર્પિણી કાળમાં જે નવ નારદ થયા, તેમણે કોઈ વ્રત યા પચ્ચકખાણ ૨૫૦ | શાન્તસુધારસઃ ભાગ ૨]
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy