________________
ગ્રંથકારે અહીં ત્રણ વાતો બતાવી છે - - કર્મ રોગ છે - તપ ઔષધ છે. in જિનાજ્ઞા અનુપાન છે. 1 શાન્ત સુધારસ સર્વ સુખોનું નિધાન છે.
પ્રથમ વાત તો એ છે કે કર્મરોગ જેવા લાગવા જોઈએ. જેમ કે કેન્સર, ટી.બી., ડાયાબીટીસ...વગેરે રોગો થાય છે એમ કર્મરોગ જેવા લાગવા જોઈએ. હા, ત્યાર પછી જ ઔષધ-ઉપચાર કરવાની ઇચ્છા જાગશે. કેન્સર જેવા રોગોની દુનિયામાં દવા નથી, પરંતુ કર્મરોગની તો દવા ઉપલબ્ધ છે. તે છે તપ. અમોઘ દવા છે. આ જીવનમાં આ દવા કરી લો.
દવાની સાથે અનુપાન પણ જોઈએ. પથ્ય ભોજન જોઈએ. એ છે જિનાજ્ઞાનું પાલન. તમે શ્રાવક-શ્રાવિકાઓ છો, તમારે માટે કઈ કઈ જિનાજ્ઞાઓ છે તે જાણીને તેમનું પાલન કરવું પડશે. એટલે કે તપની સાથે સમતાં, જિનપૂજા, બ્રહ્મચર્યપાલન, રાત્રિભોજનનો ત્યાગ અને કંદમૂળનો ત્યાગ વગેરેનું પાલન કરવું જ પડશે.
અને આ રીતે તપ કરતા જ રહેશો તો પ્રશમ-અમૃતનું પાન કરી શકશો - પ્રશમામૃતનું પાન સર્વ સુખોનો ખજાનો છે. એ ખજાનો પ્રાપ્ત કરવો હોય, તો જીવનમાં તપ અને જિનાજ્ઞાનું પાલન કરતા રહો. આ રીતે નિર્જરા ભાવનાનું વિવેચન પૂર્ણ થાય છે.
આજે બસ, આટલું જ.
[૨૪૨ |
૨૪૨
નો શાન્તસુધારસ : ભાગ ૨)
| શાન્તસુધારસ : ભાગ ૨