SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ બાળકો રસપૂર્વક સાંભળે છે. ફલતુ વાતો કરવાને બદલે જિનચરિત્રોનું પઠન-પાઠન કરવાથી શુભ કર્મોનો આસ્રવ થાય છે અને અશુભ કર્મોનો સંવર થાય છે. આ રીતે ‘સંવર ભાવના ગેય કાવ્યનું વિવેચન કરીને હવે શ્રીમદ્ જયસોમમુનિવિરચિત સંવર ભાવનાની સક્ઝાય સંભળાવું છું. સંવર ભાવનાની સઝાય : આઠમી સંવર ભાવનાજી, ઘરી ચિત્ત શું એક તાર સમિતિ-ગુપ્તિ સુધી ધરોજી - આપોઆપ વિચાર, 1 સલુણા! શાન્તસુધારસ ચાખ. વિરસ વિષયફળ ફૂલડેજી અટતો મન-અલિ રાખ, સલુણા! શાન્તસુધારસ ચાખ. લાભ-અલાભે સુખદુઃખેજ, જીવિત-મરણ સમાન, શત્રુમિત્ર શમ ભાવતોજી - માન અને અપમાન સલુણા. કદી એ પરિગ્રહ છાંડ , લેશે સંયમ ભાર, શ્રાવક ચિતે હું કદાજી, કરીશ સંથારો સાર...સલુણા. સાધુ આશંસા ઈમ કરેજી, સૂત્ર ભણીશ ગુરુ પાસ, એકલમલ્લ પ્રતિમા રહીશ, કરીશ સંલેખણ ખાસસલુણા. સર્વજીવ હિત ચિંતવોજી, વયર મકર જગમિત્ત, સત્યવચન મુખ ભાખીએજી, પરિહર પરનું વિત્ત.સલુણા. કામ કટક ભેદણ ભણીજી, ધરત શીલ-સન્નાહ - નવવિધ પરિગ્રહ મૂક્તાજી, લહીએ સુખ અથાહસલુણા. દેવ-મણુએ ઉપસર્ગશે , નિશ્ચલ હોય સુધીર, બાવશ પરીષહ જીતીએ જી, જીમ જીત્યા શ્રીવીરસલુણા. સઝાય કાવ્યનો અર્થ : શ્રીમદ્ જયસોમ મુનિવરે કેટલું ભાવપૂર્ણ કાવ્ય રચ્યું છે સંવર ભાવનાના વિષયમાં! આ કાવ્ય જૂની ગુજરાતી ભાષામાં છે, એટલા માટે સંક્ષેપમાં એનો અર્થ જણાવું છું. ‘સેવર ભાવનાને આત્મસાત કરજો અને ચિત્તમાં એનું વારંવાર ભાવન કરજો. ભાવના ભાવતાં ભાવતાં સહજતાથી સમિતિ અને ગુપ્તિનું પાલન કરવાના વિચારો આવશે. વીસ વિષયસુખનાં પુષ્પો પર જ્યાં સુધી મનભ્રમર ફરતો રહેશે ત્યાં સુધી તું શાન્તસુધારસનો આસ્વાદ પામી શકીશ નહીં. એટલા માટે મનને રોકી દે. વિષયોમાં જવા ન દે. [ સંવર ભાવના ૧૮૯]
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy