________________
રૌદ્રધ્યાનની પરિભાષા તત્ત્વાર્થસૂત્રમાં આ રીતે બતાવી છે - .
હિંસાડનૃતત્તે વિષયરક્ષો રોગ હિંસા, અસત્ય, ચોરી અને વિષયરક્ષણ માટે સતત ચિંતા કરવી ‘રૌદ્રધ્યાન છે. રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણો:
શ્રી ઔપપાતિક સૂત્રમાં રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણો બતાવ્યાં છે - ૧. કછોલે - નિરંતર હિંસા, અસત્ય, ચોરી આદિ કરવા. ૨. વજુવો - હિંસાદિ સર્વ પાપોમાં પ્રવૃત્તિ કરવી. ૩. માળો - અજ્ઞાનથી, કુશાસ્ત્રના સંસ્કારથી હિંસાદિ પાપોમાં ધર્મબુદ્ધિથી
પ્રવૃત્તિ કરવી. ૪. ગામરવંતો - આમરણાંત થોડોક પણ પશ્ચાત્તાપ કર્યા વગર કાલસૌકરાદિ
કસાઈની જેમ હિંસાદિમાં પ્રવૃત્તિ કરવી. પ આર્તધ્યાનનું ફળ પરલોકમાં તિર્યંચગતિની પ્રાપ્તિ છે.
રૌદ્રધ્યાનનું ફળ છે નરકગતિની પ્રાપ્તિ. ચિત્તની સ્થિરતા - ધર્મધ્યાન:
ગ્રંથકાર ઉપાધ્યાયજી કહે છે કે સ્થિર ચિત્તે આર્તધ્યાન-રૌદ્રધ્યાનને રોકવા પ્રયત્ન કરો. એ પ્રયત્ન છે ધર્મધ્યાનનો. “શ્રી આવશ્યક સૂત્રમાં ધર્મધ્યાન કરવા ઇચ્છુક આત્મની યોગ્યતાનું પ્રતિપાદન આ રીતે કરવામાં આવ્યું છે -
जिणसाहूगुणकित्तण-पसंसणा-विणय-दाण संपन्नो ।
सुअसील संजमरओ. धम्मज्झाणी मुणेयव्वो ॥ ૧. શ્રી જિનેશ્વરદેવના ગુણોનાં કીર્તન-પ્રશંસા કરો. ૨. શ્રી નિગ્રંથ મુનિવરોનાં ગુણોનાં કીર્તન-પ્રશંસા કરો. ૩. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં નિરત રહો, પ્રાપ્ત શ્રુતજ્ઞાનથી આત્માને ભાવિત
કરવાનું લક્ષ્ય રાખો. ૪. શીલ-સદાચારના પાલનમાં તત્પર રહો. પ. ઇન્દ્રિયસંયમ અને મનલ્સયમ કરવામાં લીન રહો.
આ રીતે મનઃસ્થિરતાથી, ચિત્તની પવિત્રતાથી આત-રૌદ્રધ્યાનને અવરુદ્ધ કરી શકો છો.
[
સંવર ભાવના
|
_
_
_ ૧૫૯ |
૧૫૯