________________
इंद्रियाऽव्रतकषाययोगजाः पंचपंच चतुरन्विताम्रयः । पंचविंशतिरसत्क्रिया इति, नेत्रवेदपरिसंख्ययाऽप्यमी ॥ ४ ॥ इत्याम्रवाणामधिगम्य तत्त्वं, निश्चित्य सत्त्वं श्रुतिसन्निधानात् । एषां निरोधे विगलद्विरोथे सर्वात्मना दाग यतितव्यमात्मन् ॥ ५ ॥
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસ' ગ્રંથમાં સાતમી “આસ્રવ ભાવનાનું વર્ણન કરતાં હવે ૪૨ પ્રકારના આસ્રવ બતાવે છે. આસવોના ૪૨ પ્રકાર :
પ ઈન્દ્રિય પ અવત (અવિરતિ) ૪ કષાય ૩ યોગ ૨૫ અસત્ ક્રિયાઓ. આમ ૪૨ આસવો છે.
૪૨ આસ્રવ - કાલે તમને પ અવત અને ૩યોગ સંબંધી જણાવી દીધું છે. આજે * પહેલાં ૨૫ ક્રિયાઓ બતાવી દઈશ, તે પછી કષાય અને ઇન્દ્રિયો અંગેના વિષયમાં વિસ્તારથી વિવેચન કરીશ. ૨૫ અસતુ ક્રિયાઓ:
આમ તો આ ક્રિયાઓનો સમાવેશ “યોગ'માં થઈ શકે છે, પરંતુ વિશેષ બોધ હેતુથી આ ક્રિયાઓ અલગ બતાવવામાં આવે છે. ૧. પ્રથમ ક્રિયા છે કાયિકી કાયાને, શરીરને પ્રમત્તભાવથી પ્રવર્તિત કરવાં. ૨. બીજી ક્રિયા છે અધિકરણિકી હિંસાકારી સાધનોને ગ્રહણ કરવાં. ૩. પ્રાષિકી ક્રિયા ક્રોધના આવેગથી થતી ક્રિયા. ૪. પારિતાપિની ક્રિયા સ્વપરને પરિતાપ કરનારી - સતાવનારી ક્રિયા. પ. પ્રાણાતિપાતિની ક્રિયા પ્રાણીઓને પ્રાણથી વિમુક્ત કરનારી ક્રિયા. ૬. આંભિકી ક્રિયા: કાપવા- કૂટવા અને ઘાત કરવામાં સ્વયં રત રહેવું અને બીજાં
પાસે એવી ક્રિયા કરાવવી અને એવી ક્રિયા થતી જોઈને પ્રસન્ન રહેવું. ૭. સાતમી ક્રિયા છે પારિગ્રાહિક ધનધાન્યાદિ પરિગ્રહ પ્રાપ્ત કરવામાં અને પ્રાપ્ત
પરિગ્રહની રક્ષા માટે કરવામાં આવતી ક્રિયા. ૮. આઠમી ક્રિયા છે માયા પ્રત્યયિક કપટથી બીજાંને ઠગવાની ક્રિયા. આસ્રવ ભાવના
છે
- ૧૦૯ |