________________
आरौिद्र-परिणामपावक-प्लुष्टभावुक विवेक सौष्ठवे । मानसे विषयलोलुपात्मनां क्व प्ररोहतितमां शमाङ्कुरः ॥ ५ ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્ત સુધારસની પ્રસ્તાવનામાં કહે છે : આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ક્રૂર વિચારો આગ જેવા છે. એ આગ સુંદર વિવેકની શોભાને સળગાવી દે છે. જેના હૃદયમાં વિવેકની શોભા સળગી ગઈ એવા વિષયલોલુપ મનુષ્યોના હૃદયમાં સમતાનો અંકુર કેવી રીતે પ્રકટ થઈ શકે ? આર્ત-રૌદ્રધ્યાન આગ છે :
જે સળગાવે છે એ આગ કહેવાય છે. અનેક પ્રકારની આગ હોય છે. જે મકાન, વસ્ત્ર, લાકડું, ઘાસ વગેરેને સળગાવે છે, તે વિશ્વપ્રસિદ્ધ આગ છે. આ આગને બધા લોકો જાણે છે, સમજે છે. બીજી આગ હોય છે વચનની આગ - વાણીની આગ. કટુ, કઠોર, કર્કશ વચનો આગ જેવાં હોય છે. સળગી ઊઠીને માણસ આત્મહત્યા કરી બેસે છે. કેટલાક કટુ વચનો સાંભળીને બળતા નથી, બળીને મરી જતા નથી, પરંતુ ચિત્તમાં ભયાનક બળતરા અનુભવે છે.
ત્રીજી આગ હોય છે - વિચારોની આગ. મનુષ્યને પોતાને જ સળગાવે છે. કેટલાક એવા દુષ્ટ વિચારો હોય છે કે જે ચિત્તને સળગાવે છે. ચિત્તની શાન્તિને, ચિત્તની પ્રસન્નતાને, ચિત્તના વિવેકને સળગાવે છે. ભીતરથી મનુષ્ય સ્વયં બળે છે. આર્તધ્યાન:
એક એવી આગ છે આર્તધ્યાનની. અહીં ધ્યાન’ શબ્દનો પ્રયોગ દુષ્ટ વિચારોના વિષયમાં થયો છે. તીવ્ર કોટિના દુષ્ટ વિચાર આર્તધ્યાન કહેવાય છે. ધ્યાનમાં એવા વિચારોનો પ્રવેશ છે કે તમે લોકો સાંભળીને ચકકર ખાઈ ઊઠશો. હા, આપણે આપણા વિચારો કરીએ છીએ તો પણ આપણા વિચારોને ઓળખતા નથી ! મુખ્ય રૂપમાં ચાર પ્રકારનાં આર્તધ્યાન બતાવવામાં આવ્યાં છે: - ઈષ્ટના સંયોગના વિચારો. - ઈષ્ટના વિયોગના વિચારો. - અનિષ્ટના સંયોગના વિચારો. - અનિષ્ટના વિયોગના વિચારો.
૧. જે ઈષ્ટ છે, આપણને પ્રિય છે, એ આપણને મળે. આ વિષયમાં મનુષ્ય વિચાર કરતો રહે છે. જે ઈષ્ટ અને પ્રિય વસ્તુ અથવા વસ્તુ મનુષ્યની પાસે હોય છે, એ એની પાસે ટકી રહે તેવા વિચારો કરે છે. આ ચિંતનમાં, આવા વિચારોમાં પ્રાય
શાન્ત સુધારસ : ભાગ ૧
૫૯